શ્રાવણના સોમવારનું વ્રત ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે
શ્રાવણનો સોમવાર શિવભક્તોને ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઇ છે અને આજે શ્રાવણનો સોમવાર છે. શિવ એક એકલા ભગવાન છે જેમની એક મહિના સુધી પૂજા કરવામાં આવે છે. જેમાં શિવને ખુશ કરવા માટે ફૂલ, બીલીપત્ર, ચઢાવામાં આવે છે અને દૂધ, દહીં, મધ, ભાંગ, ગંગાજળ વગેરે દ્વારા શિવનો અભિષેક કરે છે. કહેવાય છે કે ભગવાન ભોળાને ખુશ કરવા સરળ છે, તેઓ જલ્દી ખુશ થઈ જાય છે. પરિણામે શીવભક્તો શ્રાવણ માસ દરમિયાન પોતાની મનોકામના પૂરીં કરવા માટે અનેક જતનો કરે છે.
શ્રાવણનો સોમવાર જાતકોની તમામ મુશ્કેલીઓ અને અડચણોને દૂર કરી મુક્તિ અપાવે છે અને શિવ ભક્તોને ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે. આજના દિવસે શિવભક્તો શિવની ભાંગ, ધતૂરો અને મધથી પૂજા કરે તો તેમને શક્તિ અને ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂરીં થાય છે. શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો શ્રેયસ્કર હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી શિવભક્તોને અનેક લાભો થાય છે આ લોભો વિશે વિસ્તૃત જાણીએ...

અત્યંત ફળદાયી
શ્રાવણ માસ ભગવાન શંકરનો સૌથી છે. આ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવું શુભ ફળદાયી હોય છે, આ વ્રત કરનારી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી તમને આર્થિક લાભ થાય છે કરેલા કાર્યોમાં સફળતા મળે છે. તમારો ગુસ્સો શાંત થાય છે.

શક્તિ અને જ્ઞાન
શ્રાવણ માસમાં શિવલિંગની પુજા કરવાનો મહાત્મય અનેરો છે. શિવલિંગની પૂજા કરતી વખતે શિવને બીલીપત્ર ચઢાવવા, આમ કરવાથી તમને શક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

દૂઘ અને ગંગાજળ
કહેવાય છે કે ગંગા ભગવાન ભોળેનાથની જટામાંથી નીકળે છે તેથી શિવલિંગ પર ગંગાજળ અને દૂઘનો અભિષેક કરવાથી જાતક પર આવનારા કષ્ટો દૂર થાય છે. મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળી રહે છે.

શિવપુરાણ અને શિવચાલીસા
શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેની સાથે શિવ રુદ્રીના પણ જાપ કરવાથી તેનુ ઉત્તમ ફળ મળે છે. આ માસમાં સોળ સોમવારનું વ્રત કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
