For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એડીબીએ ભારતનો વૃધ્ધિદર 5.6 ટકા રહેવાની ધારણા દર્શાવી

|
Google Oneindia Gujarati News

indian economy
નવી દિલ્હી, 3 ઑક્ટોબર : આજે એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતનો વૃધ્ધિદર નીચો રહેશે એવી ધારણા કરી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે વર્ષના પ્રારંભમાં વૃધ્ધિદર 5.6 ટકાથી 7 ટકાની વચ્ચે રહેવાની ધારણા કરવામાં આવી હતી. આ માટે વૈશ્વિક માંગમાં આવેલા ઘટાડા અને કૃષિ ઉત્પાદન પર પાછોતરા વરસાદને કારણે થયેલું મોડું જવાબદાર છે.

એડીબીના એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક 2012માં જણાવ્યા અનુસાર ભારત રોકાણક્ષેત્રે સ્થિતિ સુધારીને અને આર્થિક સુધારાઓનો પ્રચાર કરીને વૃધ્ધિદર નીચો જતો અટકાવી શકે એમ છે. એડીબીના અપડેટ મુજબ એશિયા વિસ્તારમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃધ્ધિદર વર્ષ 2011ના 7.2 ટકાથી ઘટીને વર્ષ 2012માં 6.1 ટકા થશે એમ માનવામાં આવી રહ્યું છે.

હવે એડીબી દ્વારા વર્ષ 2013 માટેનો વૃધ્ધિદર અંદાજે 6.7 ટકા આંકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં બે મહત્વનાં અર્થતંત્રો ચીન અને ભારતમાં શરૂઆતમાં સકારાત્મર વલણ બાદ વૈશ્વિક મંદીની અસર દેખાવાથી મંદીમાં આવ્યું છે.

English summary
ADB lowers India's growth projection to 5.6 pc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X