કેમરોનઃ મને ગર્વ છે કે જગુઆર લેન્ડરોવરની કમાન ટાટાના હાથમાં
મુંબઇ, 20 ફેબ્રુઆરીઃ બ્રિટીશ પ્રધાનમંત્રી પોતના ત્રીદિવસીય યાત્રા પર ભારત આવ્યા છે, જ્યાં તેમના આગમનથી રાજકિય દિશામાં તો આકાંક્ષાઓ વધી જ છે, બીજી તફ દેશના ઓટો ઇન્ડસ્ટ્રિયલિસ્ટના ચહેરાઓ પર પણ સ્મિત આવી ગયું છે. જી હાં, કેમરોને પોતાની આ યાત્રા દરમિયાન દિલ્હી વિશ્વવિદ્યાલય, જલિયાવાલા બાગ સહિત ઘણા સ્થળોની મુલાકાત લીધી. કેમરોને પોતાના એક વ્યક્તવ્યમાં કહ્યું કે, મને ગર્વ છે કે જગુઆર લેન્ડરોવર બ્રાન્ડની કમાન ટાટા મોટર્સના હાથમાં છે.

આ ઉપરાંત કંપનીની કાર્સનું વેચાણ પણ પ્રભાવિત હતું. પરંતુ ટાટા મોટર્સે યોગ્ય સમયે જગુઆર લેન્ડરોવરનું અધિગ્રહણ કરી લીધું. કંપનીના અધિગ્રહણ બાદ ટાટા મોટર્સે સૌથી પહેલાં રેન્જરોવર ઇવોક એસયૂવીને લોન્ચ કરી. શ્રેષ્ઠ આકર્ષક લુક અને દમદાર એન્જીનની ક્ષમતાને ભરપૂર રેન્જરોવર ઇવોકે વિશ્વ બજારમાં સારી એવી સફળતા હાંસલ કરી. હાલ ટાટા મોટર્સ જગુઆર લેન્ડરોવરની સીબીયૂ યૂનિટથી તૈયાર કરવામાં આવેલા વાહનનું વેચાણ કરી રહી છે.
કંપનીની યોજના આ વર્ષના અંત સુધી સીકેડી યૂનિટને પણ શરૂ કરવાની છે. જેમાંથી તે લગ્ઝરી વાહન નિર્માતા કાર્સની કિંમત ઘટશે અને તેના વેચાણમાં વધારો થશે.












Click it and Unblock the Notifications
