નાણાં પ્રધાન વ્યાજદર ઘટાડવા માટે બેન્કોને કહેશે
નવી દિલ્હી, 21 જૂન : છેલ્લા ત્રણ મહિનાઓથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) દ્વારા નાણાકીય પોલિસીમાં કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આ કારણે બેન્કોએ પણ ધિરાણ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. જેના પગલે ઉદ્યોગોની સ્થિતિ વધારે કફોડી બની છે.
ડોલર સામે રૂપિયાની નરમાઈને કારણે આયાતકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે નાણાં પ્રધાન પી ચિદમ્બરમે બેન્કોને વ્યાજદર ઘટાડવા માટે મનાવવાની જવાબદારી હાથમાં લીધી છે. ઔદ્યોગિક ક્ષેત્રે વેપારની ગતિ વધારી શકાય તે માટે તેમને વધુમાં વધુ ધિરાણ અપાવવાની જવાબદારી પણ નાણા પ્રધાન દ્વારા લેવામાં આવી છે.
બેન્કોના વ્યાજદરમાં ઘટાડો કરવા માટે નાણા વિભાગ દ્વારા બેન્કોના અગ્રણી અધિકારીઓ સાથે 26 જૂનના રોજ બેઠક યોજવામાં આવી છે. તાજેતરમાં રૂપિયામાં આવેલી નરમાઈના કારણે ઉદ્યોગ જગતની ઉત્પાદન કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં કંપનીઓને બેન્કો પાસેથી ધિરાણ પણ ખૂબ મોંઘુ મળી રહ્યું છે. પરિમામે હાલ ઔદ્યોગિક જગતનું ટકી રહેવુ ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. આ સ્થિતિમાંથી ઉદ્યોગોને ઉગારવા માટે હવે નાણા પ્રધાન દ્વારા જ કોઈ ને કોઈ પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બેન્કો સાથેની આ બેઠકને નાણા વિભાગે સામાન્ય બેઠક જ ગણાવી છે, પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા વ્યાજદરમાં ઘટાડો કરવા અને ગ્રાહકોને ફાયદો આપવા અંગે રાખવામાં આવી છે. નાણા વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ જણાવવામાં આવ્યુ હતું કે પાછલા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં જે રાહત આપવામાં આવી છે બેન્કોએ તે રાહત ગ્રાહક સુધી પહોંચાડવી પડશે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કો દ્વારા પણ આ બેઠકમાં પણ વ્યાજદરઅંગે કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. બેન્કો દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવા માટેની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે. બેન્કોના મત પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવામાં નહી આવે તો આરબીઆઈએ બેન્કોને તેના પર વ્યાજ આપવું પડશે. બેન્કોમાં એનપીએ વિશે પણ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
