પાંચ ટકાનો ધીમો વિકાસદર નિરાશાજનક: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'વિકાસદરમાં આવેલી પડતી અસ્થાઇ છે. આપણે તેને સમજવું જોઇએ અને તેને સુધારવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ. મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ આપણો વિકાસ દર પાંચ ટકા જ રહેશે. પાછલા દસ વર્ષોમાં અમે આઠ ટકા વિકાસ દર હાસલ કર્યો છે અને અમે તેને પુન: પ્રાપ્ત કરી શકીએ છીએ.'
તેમણે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 2007માં અસામન્યરીતે આશાવાદી હતું, આજે એ અસામાન્યરીતે નિરાશાવાદી બની ગયું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ચોક્કસપણે મોંઘવારી આપણા માટે સૌથી મોટો પડકાર છે પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ.
મનમોહનસિંહે જણાવ્યું કે આજે એ સામાન્ય સમજ છે કે સરકાર તત્પરતાથી કોઇ પગલા નહીં ભરે અને ધીમી વિકાસ દર આખુ વર્ષ પાંચ ટકા જ બની રહેશે. તેમણે જણાવ્યું કે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...