ફિક્સ પિડોઝિટ મૂકવા રાહ જોવો, જાણો શા માટે?
જો તમે અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારું છે કે તમે થોડો સમય રાહ જુઓ. તમે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માટે ઓછામાં ઓછી એક સપ્તાહ રાહ જોશો તો શક્ય છે કે તમે વધારે ફાયદામાં રહેશો. આમ કહેવાનું કારણ ખૂબ સરળ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને રૂપિયા આપે છે. આ દરમાં વધારો થાય તો લોનના દરોમાં અને ડિપોઝિટના દરોમાં વધારો થતો હોય છે.

રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે?
સામાન્ય રીતે રેપો રેટ વધે એટલે લોન અને એફડીના વ્યાજ દરો વધતા હોય છે. આ સાથે એ પણ નોંધનીય છે કે આ દરો વધ્યા પછી બેંકો વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત હોતો નથી. પણ સામાન્ય રીતે બેંકમાં મૂડી રોકાણ આકર્ષવા બેંકો ડિપોઝિટના વ્યાજદરોમા વધારો કરવાનું પગલું ભરતી હોય છે.

SBIનું શું કહેવું છે?
આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ચેરમેન પ્રતીપ ચૌધરીનું કહેવું છે કે અમારી બેંકની એસેટ લાયેબિલિટી કમિટી આવનારા થોડા દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજશે અને તેમાં વ્યાજદર વધારવો કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. હવે જો એસબીઆઇ વ્યાજ દરો વધારતી હોય તો અન્ય બેંકો પણ વધારશે જ.

RBIની ઇચ્છા
આ પહેલાની સ્થિતિની વાત કરીએ તો આરબીઆઇએ એવા પગલાં લીધા હતા કે શોર્ટ ટર્મ પ્રકારની ડિપોઝિટના નિયમો વધારે કડક બનાવ્યા હતા. હવે આરબીઆઇ ઇચ્છે છે કે મીડિયમ ટર્મની ડિપોઝિટના વ્યાજ દરો ઊંચા રહે. આ વ્યાજદરો ફુગાવાને નિયંત્રણમાં લેવા અને બચતમાં વૃદ્ધિ કરવા માટે વધારવામાં આવશે.

રાહ જોવામાં ફાયદો
આથી જો તમે ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો રાહ જોવામાં જ ફાયદો છે. આ માટે તમારે માત્ર અઠવાડિયું કે દસ દિવસ રાહ જોવી પડશે. લાંબા ગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉંચા વ્યાજ મળવાની શક્યતા છે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને રૂપિયા આપે છે. આ દરમાં વધારો થાય તો લોનના દરોમાં અને ડિપોઝિટના દરોમાં વધારો થતો હોય છે.
રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે?
સામાન્ય રીતે રેપો રેટ વધે એટલે લોન અને એફડીના વ્યાજ દરો વધતા હોય છે. આ સાથે એ પણ નોંધનીય છે કે આ દરો વધ્યા પછી બેંકો વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત હોતો નથી. પણ સામાન્ય રીતે બેંકમાં મૂડી રોકાણ આકર્ષવા બેંકો ડિપોઝિટના વ્યાજદરોમા વધારો કરવાનું પગલું ભરતી હોય છે.
SBIનું શું કહેવું છે
આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ચેરમેન પ્રતીપ ચૌધરીનું કહેવું છે કે અમારી બેંકની એસેટ લાયેબિલિટી કમિટી આવનારા થોડા દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજશે અને તેમાં વ્યાજદર વધારવો કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. હવે જો એસબીઆઇ વ્યાજ દરો વધારતી હોય તો અન્ય બેંકો પણ વધારશે જ.
RBIની ઇચ્છા
આ પહેલાની સ્થિતિની વાત કરીએ તો આરબીઆઇએ એવા પગલાં લીધા હતા કે શોર્ટ ટર્મ પ્રકારની ડિપોઝિટના નિયમો વધારે કડક બનાવ્યા હતા. હવે આરબીઆઇ ઇચ્છે છે કે મીડિયમ ટર્મની ડિપોઝિટના વ્યાજ દરો ઊંચા રહે. આ વ્યાજદરો ફુગાવાને નિયંત્રણમાં લેવા અને બચતમાં વૃદ્ધિ કરવા માટે વધારવામાં આવશે.
રાહ જોવામાં ફાયદો
આથી જો તમે ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો રાહ જોવામાં જ ફાયદો છે. આ માટે તમારે માત્ર અઠવાડિયું કે દસ દિવસ રાહ જોવી પડશે. લાંબા ગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉંચા વ્યાજ મળવાની શક્યતા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
