મુકેશ અંબાણીનો દાવો- 2021થી ઉપલબ્ધ થઈ જશે Jio 5G
મુકેશ અંબાણીનો દાવો- 2021થી ઉપલબ્ધ થઈ જશે Jio 5G
નવી દિલ્હીઃ ભારતમાં લાંબા સમયથી 5Gનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે. મંગળવારે Reliance Jioના સીઈઓ મુકેશ અંબાણીએ ઘોષણા કરી કે તેમની કંપની 2021માં ભારતમાં 5જી સેવાઓ શરૂ કરી દેશે. આ ઘોષણા કંપનીના સીઈઓ, મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ચોથા તબક્કામાં કરી છે.
મુકેશ અંબાણીએ ખુલાસો કર્યો કે કંપની 2021ના પાછલા છ મહિનામાં સેવા લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે કંપની દ્વારા 5જી નેટવર્કનું નિર્માણ સ્વદેશમા કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત આજે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડિજિટલ રૂપે જોડાયેલ દેશમાંથી એક છે. આ લીડને બનાવી રાખવા માટે 5જીના શરૂઆતી રોલઆઉટમાં તેજી લાવવા માટે, અને તેને સસ્તી અને હરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે નીતિગત પગલાં ઉઠાવવાં જરૂરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે Jio અગ્રણી હશે. 2021ના બીજા છ મહિનામાં ભારતમાં 5જી ક્રાંતિ આવશે. આ સ્વદેશી- વિકસિત નેટવર્ક, હાર્ડવેર અને પ્રૌદ્યોગિકી ઘટનાઓ દ્વારા સંચાલિત થશે.
મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારતમાં 5જી નેટવર્કના પ્રવેશથી દેશને આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં મદદ મળશે અને આ દેશની ચૌથી ઔદ્યોગિક પ્રાંતિમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવવામાં સક્ષમ બનાવશે. Jioની 5G સેવા, આત્મનિર્ભર ભારતની તમારી પ્રેર દ્રષ્ટિનું પ્રમાણ હશે. તેમણે કહ્યું કે, હું અત્યંત વિશ્વાસ સાથે કહી શકું છું કે 5G ભારતને ના માત્ર ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભાગ લેવામાં સક્ષમ બનાવશે બલકે તેનું નેતૃત્વ પણ કરશે.
દિલચસ્પ વાત એ છે કે અંબાણીની આ ટિપ્પણીઓ તેમીન પ્રતિદ્વંદી કંપની ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલના એ નિવેદન બાદ આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં 5જી ટેક્નિકના રોલઆઉટમાં બે-ત્રણ વર્ષ લાગશે. મિત્તલે કહ્યું કે દેશને મોબાઈલ પ્રૌદ્યોગિકીના આગલા તબક્કામાં જવા માટે હજી વધુ સમયની જરૂરત પડશે. એરટેલના નિર્ણાણ, નિર્માતાઓ, જેમાં તેના મુખ્ય કાર્યકારી, ગોપાલ વિઠ્ઠલ સામેલ છે, તેમણે પહેલાં કહ્યું હતું કે 5જી માટે તંત્ર વિકસિત છે અને આ સ્પેક્ટ્રમ મોંઘા છે.