For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાલ EMI નહીં ઘટે, CRRમાં માત્ર 0.25 ટકાનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 30 ઓક્ટોબર: આરબીઆઇએ સીઆરઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે સીઆરઆર 4.25 ટકા થઇ ગયો છે. જ્યારે આરબીઆઇએ રેપો રેટમાં કોઇ બદલાવ કર્યો નથી. માટે રેપો રેટ 8 ટકા અને રિવર્સ રેપો રેટ 7 ટકા પર સ્થિર છે. સીઆરઆરમાં કરવામાં આવેલો ઘટાડો 3 નવેમ્બરથી અમલી બનશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર સીઆરઆરમાં ઘટાડાથી સિસ્ટમમાં 17,500 કરોડ રૂપિયા આવશે. આરબીઆઇનું કહેવું છે કે રિસ્ટ્રક્ચર્ડ લોન પર પ્રોવિઝનિંગ 2 ટકાથી વધીને 2.75 ટકા કરી દીધો છે. બેંકો માટે વધારવામાં આવેલી પ્રોવિઝનિંગથી બેંકો પર દબાણ વધશે. એનબીએફસી માટે ડ્રાફ્ટ નિયમ નવેમ્બરના અંત સુધી જારી કરી દેવાશે. નાના સમયગાળામાં મોંઘવારી દર વધી શકે છે.

આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવનું કહેવું છે કે ક્રેડિટ પોલિસી અંતર્ગત લેવાયેલા પગલાથી ગ્રોથની ગતિ વધારવા અને મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે. જ્યારે આરબીઆઇએ નાણાંકિય વર્ષ 2013ની જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકાથી ઘટીને 5.8 ટકા કરી દેવાઇ છે.

નાણાકિય વર્ષ 2013માં મોંઘવારી દરનો અનુમાન 7 ટકાથી વધારી 7.5 ટકા કરી દેવાઇ છે. વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ ઉપરાંત સોનું ખરીદવા માટે કોઇ લોન નહીં મળે.

English summary
The RBI Tuesday cut a key policy ratio by 25 basis points to release Rs.175 billion into the system for lending, but left policy rates unchanged, hoping this will push growth but also keep inflation under check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X