આરામદાયક નિવૃત્ત જીવન માટે પ્રોવિડન્ડ ફંડની રકમ પુરતી છે?
પ્રોવિડન્ડ ફંડ આપના રિટાયર્ડમેન્ટ પ્લાનનો મહત્વનો હિસ્સો હોય છે. જો કે નિવૃત્તિ બાદના જીવનના આરામદાયક બનાવી રાખવા માટે માત્ર પ્રોવિડન્ડ ફંડની રકમ પૂરતી છે કે આપે અન્યત્ર રોકાણ કરીને માસિક આવક ચાલુ રાખવી જરૂરી છે તે જોઇએ...
આપ નિવૃત્ત જીવન આર્થિક તંગી વિના આરામદાયક રીતે વિતાવવા માંગો છો અને આપે આ માટે માત્ર પ્રોવિડન્ડ ફંડ પર જ દરોમદાર રાખ્યો છે તો આપને મોટો ફટકો પડી શકે એમ છે. પ્રોવિડન્ડ ફંડ બેશક આપના નિવૃત્ત જીવન માટેનો મહત્વનો હિસ્સો છે, પરંતુ માત્ર પ્રોવિડન્ડ ફંડથી આપ 8થી 10 વર્ષ કરતા વધારે સમય સુધી સારું જીવન ચલાવી શકો નહીં. આ કારણે નિવૃત્તિ બાદ અંદાજે 20 વર્ષ સુધી આપ આરામથી જીવન પસાર કરી શકો તે માટે આપે વધારાનું રોકાણ કરવું જરૂરી છે.

પ્રોવિડન્ડ ફંડને જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે જોતા નિવૃત્તિ બાદ તે આપને અત્યંત આરામદાયક જીવન આપી શકે છે. આ કારણે આપ જ્યારે કમાણી શરૂ કરો ત્યારે પીએફમાં મોટી રકમ આપવી આપના લાભમાં રહેશે. પીએફમાં આપનો ફાળો આપના પગાર સાથે સંબંધ ધરાવે છે. ઇન્ક્રિમેનટ આવતા તેમાં પણ વધારો થાય છે.
પીએફની ગણતરી
જો આપ 25 વર્ષની વયે નોકરી કરવાનું શરૂ કરો છો અને આપના પગારમાંથી દર મહિને 5000 રૂપિયા પીએફમાં જાય છે અને તેટલી જ રકમ એમ્પ્લોયર જમા કરાવે છે તો 35 વર્ષ બાદ આપની પાસે 6.89 કરોડની રકમ જમા થશે. આ ગણતરી વાર્ષિક 8 ટકાના ઇન્ક્રિમેન્ટ સાથે ગણવામાં આવી છે. આ ઉપરાંત તેમાં પીએફ પર મળતા 8.5 ટકાના વ્યાજની પણ ગણતરી કરવામાં આવી છે.
પ્રથમ નજરે 6.89 કરોડ રૂપિયા મોટી રકમ લાગે છે. પણ નિવૃત્તિ બાદ આપના આરામદાયક જીવન માટે તે પૂરતી નથી. જો આપ નિવૃત્તિ બાદ દર મહિને રૂપિયા 50,000નો ખર્ચ કરશો તો 7 ટકાના ફુગાવાના હિસાબે 35 વર્ષ બાદ નિવૃત્ત જીવન માટે આપને દર વર્ષે અંદાજે 5.34 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આવી સ્થિતિમાં આપનું ફંડ 20 વર્ષ સુધી ચાલે તે માટે આપની પાસે રૂપિયા 10.52 કરોડનું કોર્પસ ફંડ હોવું જરૂરી છે.
નિવૃત્તિ બાદ મળેલી રૂપિયા 6.89 કરોડની રકમથી આપ માત્ર 12 વર્ષ સુધી એટલે કે આપ 72 વર્ષના થાય ત્યાં સુધી આરામ દાયક જીવન વિતાવી શકશો. ત્યાર બાદ આપની પાસે ખર્ચ કરવા એક રૂપિયો બચશે નહીં.
નિવૃત્તિ બાદ માત્ર પીએફ પર નિર્ભર રહેવું જોખમી કેમ?
ઘણા લોકો નોકરી બદલે એટલે પીએફની રમકનો ઉપાડ કરી લેતા હોય છે આ કારણે નિવૃત્તિ સમયે પીએફની રકમ ખુબ ઓછી હોય છે. આ રકમ નોકરીકાળ દરમિયાન ખર્ચ કરી દેવામાં આવે છે. આ કારણે નિવૃત્ત જીવન માટે ખૂબ ઓછી રકમ હાથમાં આવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
