Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રોકાણકારો રૂપિયા પરત લેવા માટે સેબી પાસે જાય: સહારા

sahara group
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: સહારા ઇન્ડિયા ગ્રુપે આજે અખબારોમાં જાહેરાત આપીને દાવો કર્યો છે કે હવે તેને પોતાના રોકાણકારોને કોઇ રૂપિયા પરત કરવાના રહેતા નથી પરંતુ સહારા સેબી પાસેથી રૂપિયા લેવા માટે હકદાર છે.

સહારાએ દાવો કર્યો છે કે તેની બે કંપનીઓએ લગભગ 25 હજાર 781 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. અત્યાર સુધી તે 22 હજાર 117 કરોડ રૂપિયાથી વધારેની રકમ પરત કરી ચૂક્યા છે. અને તેની પર લગભગ ત્રણ હજાર 663 કરોડ રૂપિયા રોકાણકારોના બાકી છે જ્યારે પાંચ હજાર 120 કરોડ તે સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.

સહારાના જણાવ્યા અનુસાર આ રીતે હવે તે કોઇને કઇ પાછું આપવા માટે બંધાયેલ નથી, પરંતુ સેબીમાંથી જ બાકી રહેતી રકમ લેવાની છે. બે દિવસ પહેલા સેબીએ આદેશ આપ્યો હતો કે સહારાની બે કંપનીઓના ખાતા સીલ કરી દેવામાં આવે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X