For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસબીઆઈના ગ્રાહકોને ઝાટકો, લોન સંબંધિત આ યોજના પાછી ખેંચી

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. હોમ લોન સંબંધિત યોજનામાં બેંકે બદલાવ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. હોમ લોન સંબંધિત યોજનામાં બેંકે બદલાવ કર્યો છે. આ યોજનામાં પરિવર્તન તમારી હોમ લોનની EMI ને અસર કરશે. એસબીઆઈએ રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોન પ્રોડક્ટ પરત ખેંચી લીધી છે. બેંકે જુલાઈમાં આ યોજના શરૂ કરી હતી, જેમાં લોનના વ્યાજ દરને આરબીઆઈ રેપો રેટ સાથે લિંક કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એસબીઆઈએ તેને પાછી ખેંચી લીધી છે.

એસબીઆઇ ગ્રાહકોને ઝાટકો

એસબીઆઇ ગ્રાહકોને ઝાટકો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ રેપો રેટ સાથે લિંક્ડ (RLLR) હોમ લોન યોજના પાછી ખેંચી લીધી છે. એસબીઆઈએ જુલાઈમાં રેપો રેટ સાથે લિંક્ડ હોમ લોન યોજના શરૂ કરી હતી, પરંતુ હવે પછી ખેંચી લેવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે એસબીઆઈએ એવા સમયે રેપો રેટ લિંક્ડ હોમ લોન યોજના પાછી ખેંચી લીધી છે જ્યારે આરબીઆઈએ દેશની તમામ બેંકોને તેમની લોનને ફ્લોટિંગ રેટ હોમ લોન, ઓટો લોનને બાહ્ય બેંચમાર્ક સાથે જોડવા નિર્દેશ આપ્યો છે. 1 ઓક્ટોબરથી આરબીઆઈના આદેશ મુજબ, તમામ બેન્કોએ તેમના ફ્લોટિંગ રેટ તેની સાથે જોડવા પડશે.

એસબીઆઈએ સૌથી પહેલા આ કામ કર્યુ હતું

એસબીઆઈએ સૌથી પહેલા આ કામ કર્યુ હતું

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર એસબીઆઇએ એક અઠવાડિયા પહેલા તેની વેબસાઇટ પરથી રેપો રેટ લિંક્ડ લોન સ્કીમ હટાવી દીધી હતી. હવેથી એસબીઆઈ ફક્ત સીમાંત ખર્ચ આધારિત ધિરાણ દરે લોન આપી રહી છે. તમને જણાવી દઈએ કે એસબીઆઈએ સૌથી પહેલા રેપો રેટ આધારિત હોમ લોન ઓફર કરી હતી. જે બાદ અન્ય બેંકોએ પણ રેપો રેટ લિંક્ડ ધિરાણ દરના આધારે હોમ લોન યોજના શરૂ કરી હતી. જો સેન્ટ્રલ બેંક રેપો રેટ ઘટાડે તો હોમ લોન ગ્રાહકોને પણ ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

નવા ગ્રાહકોને લાભ

નવા ગ્રાહકોને લાભ

એસબીઆઈએ આ યોજનાનો લાભ નવા ગ્રાહકોને આપ્યો છે. જો સરકાર આ યોજના હેઠળ રેપો રેટ ઘટાડે તો હોમ લોન ગ્રાહકોને પણ ઓછું વ્યાજ આપવું પડશે. અગાઉ, એસબીઆઇ સહિત ઘણી બેન્કો એમસીએલઆર આધારિત હોમ લોન ઓફર કરતી હતી, જે 2016 થી શરૂ થઈ હતી. એસબીઆઈમાં RLLR 7.65 ટકા છે, જે 1 સપ્ટેમ્બર 2019 થી અમલમાં આવ્યા છે. એસબીઆઈમાં 75 લાખ રૂપિયા સુધીના રેપો રેટ સાથે જોડાયેલા હોમ લોન ઉત્પાદનો પરનો વ્યાજ દર 8.05 ટકાથી લઈને 8.20 ટકા સુધીનો હતો. નવા નિર્ણય બાદ એસબીઆઈમાં ફક્ત એમસીએલઆર આધારિત લોન પ્રોડક્ટ્સ હાજર છે.

આ પણ વાંચો: સતત 5 દિવસ સુધી બેંક બંધ રહેશે, જલદી પતાવી લો જરૂર કામ

English summary
SBI customers withdraw the scheme related to loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X