Fact Check: શું ગાયની મજાક ઉડાવવા બદલ પત્રકાર અને કાર્યકર્તાની ધરપકડ થઈ?
Fact Check: શું ગાયની મજાક ઉડાવવા બદલ પત્રકાર અને કાર્યકર્તાની ધરપકડ થઈ?
એક સમાચાર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં બે લોકોને ગૌમૂત્ર અને છાણથી કોરોનાવાયરસ ઠીક નથી થતો તે કહેવા પર પકડી લેવામાં આવ્યા છે. મેલ ઓનલાઈનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રાજનેતાઓની ફરિયાદ બાદ બંનેને 45 દિવસથી બંધ રાખવામાં આવ્યા છે. કાર્યકર્તા ઈરેંદ્રો લેચોમ્બર અને પત્રકાર કિશોરચંદ્રની કોરોનાના ઈલાજમાં ગાયનાં મળમૂત્ર કામ નથી આવતાં તેવું કહેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

આ ઈલાજનું સમર્થન કરતા એક રાજનૈતિક સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તેમને અનિશ્ચિત કાળ માટે જેલમાં નાખી દેવાયા છે. સરકારે આ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે. પ્રેસ સૂચના બ્યૂરોએ સ્પષ્ટ કર્યું કે રિપોર્ટ ભ્રામક છે અને બંનેને વિવિધ સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપસર પકડવામાં આવ્યા હતા. બંનેની વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઉત્તેજીત કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 153ક અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
લીચોમ્બમ અને પત્રકાર કિશોર ચંદ્ર વાંગખેમની પાછલા મહિને ધરપકડ કરવામાં આવી હતી. લીચોમ્બમે એક ફેસબુક પોસ્ટમાં ભાજપના નેતાના નિધન બાદ લખ્યું હતું કે, 'છાણ અને ગૌમૂત્રથી કોરોનાનો ઈલાજ ન થાય. ઈલાજ વિજ્ઞાનથી જ સંભવ છે અને આ કોમસેન્સની વાત છે. પ્રોફેસરઝી RIP.'
આ પોસ્ટ બાદ ભાજપી નેતાઓની ફરિયાદ પર તેમને અને પત્રકાર કિશોર ચંદ્ર વાંગખેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઈરેંદ્રો તરફથી કહેવામાં આવ્યું કે આમ તો ગૌમૂત્ર અને છાણથી કોરોનાનો ઈલાજ થતો હોવાનો દાવો કરાતો હતો તેની ટીકા કરવા માટે આ પોસ્ટ હતી. આ મામલે મણિપુર ભાજપના ઉપાધ્યક્ષ ઉષમા દેબાન અને મહાસચિવ પી પ્રેમાનંદા મિતાઈની ફરિયાદ પર પોલીસે 13 મેની રાતે બંનેની ધરપકડ કરી લીધી.

Fact Check
દાવો
ભારતમાં ગૌમૂત્ર અને છાણથી કોરોનાવાયરસના દર્દી સાજા નથી થતા કહેવા પર બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
નિષ્કર્ષ
સરકારે કહ્યું કે આ ખોટો દાવો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ સ્પષ્ટ કર્યું કે, રિપોર્ટ ભ્રામક છે અને વિવિધ ગ્રુપ વચ્ચે દુશ્મની વધારવાના આરોપસર બંનેની ધરપકડ કરવામાં આવી છે.
રેટિંગ
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
