ભગવાન ગણેશની કૃપા પામવા ચઢાવો તેમને ગમતા પુષ્પ!
ગણેશ ચતુર્થીમાં શ્રી ગણેશના મનપસંદ પુષ્પો ચડાવી તેમને કરો ખુશ!
ગણેશ ચતુર્થી ભારતમાં મનાવવામાં આવતો ખૂબ જ મોટો ઉત્સવ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને માત્ર મહારાષ્ટ્રમાં જ નહી પરંતુ આખા દક્ષિણ ભારતમાં ધૂમ-ધામથી ઊજવવામાં આવે છે. લોકો સંકલ્પ કરીને ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરોમાં સ્થાપિત કરે છે અને તેની પૂજા કરે છે. પૂજા તો દરેકજણ કરે છે પરંતુ ભગવાન ગણેશને કયું ફૂલ સૌથી વધારે પસંદ છે તે અંગેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને છે.
હિંદુ ધર્મમાં દરેક ભગવાનના પોતાના પસંદગીના ફૂલો હોય છે. કહેવાય છે કે જો આપ આપના ભગવાનની પૂજા કરતી વખતે તેમનું મનપસંદ ફૂલ તેમને ચઢાવો તો તેઓ પ્રસન્ન થાય છે અને આપની દરેક મનોકામના પૂરી કરે છે. ભગવાનને માત્ર ફૂલ ચઢાવી દેવાથી જ કામ નથી ચાલી જતું, પરંતુ તેમનું મન પસંદ ફૂલ ચઢાવવું પણ જરૂરી છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લાલ રંગનું જાસુદ નામક પુષ્પ અતિપ્રિય છે. આ જ રીતે અન્ય ઘણાં પુષ્પો અને પાન છે, જે ભગવાન ગણેશને અતિપ્રિય છે. આવો આ પુષ્પો અંગે મેળવીએ વધુ માહિતી...

જાસૂદ
સામાન્યરીતે ભગવાન ગણેશને કોઇપણ લાલ રંગનું પુષ્પ ચઢાવી શકો છો. પરંતુ તેમને લાલ રંગનું જાસૂદનું ફૂલ વધારે પસંદ છે.

ધરો
ભગવાન ગણેશની પૂજા ધરો વગર પૂરી થઇ શકે નહીં.

અર્ક
બીજું જે ભગવાન ગણેશનું અતિપ્રિય ફૂલ છે તે છે અર્ક.

દાડમના પાન
ભારતના કેટલાક રાજ્યોમાં ભગવાન ગણેશને દાડમના પાન અને ફૂલ પણ ચઢાવવામાં આવે છે.

તુલસી પાન
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્યરીતે ભગવાન ગણેશની મોટા ભાગે પૂજામાં લોકો તુલસીને નથી ચઢાવતા પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે તેનું ખૂબ જ મહત્વ હોય છે.

શંખ પુષપમ
આ ફૂલ દેખાવે સફેદ અથવા વાદળી રંગનું હોય છે, અને શંખના આકારનું હોય છે. જે ભગવાન ગણેશને ખૂબ જ પસંદ હોય છે.

કેતકી અથવા કેવડા
કેતકી એક નાનું સુવાસિત ઝાડ છે. વરસાદમાં તેમાં ફૂલો આવે છે, જેમાં તીવ્ર સુગંધ હોય છે. આ ફૂલ ભગવાન ગણેશને ચઢાવવામાં આવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
