Teachers' Day 2022: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિ પર જ મનાવાય છે શિક્ષક દિવસ, જાણો તેમના વિશે
શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. જાણો તેમના વિશે...
નવી દિલ્લીઃ દર વર્ષે 5મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો, સંશોધકો અને પ્રોફેસરો સહિતના શિક્ષકોના કાર્યને ઓળખવા અને સમાજમાં તેમનું મહત્વ બતાવવા માટે દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. 5 સપ્ટેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક, ફિલસૂફ અને વિદ્વાન તરીકે તેમના ઘણા નોંધપાત્ર કાર્યો માટે જાણીતા છે. શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે ડૉ. રાધાકૃષ્ણનના દ્રષ્ટિકોણને સમ્માન આપવા માટે 5 સપ્ટેમ્બરને ભારતમાં 1962થી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીં જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન વિશે.
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના તિરુત્તાની શહેરમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો.
- ડૉ. રાધાક્રિષ્નન શરૂઆતથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન વિવિધ શિષ્યવૃત્તિઓ મેળવી અને તેમાંથી તેમનો અભ્યાસ કર્યો. તેમણે તિરુપતિની શાળાઓમાં અભ્યાસ કર્યો અને પછી વેલ્લોર ગયા.
- ડૉ. રાધાકૃષ્ણને ક્રિશ્ચિયન કૉલેજ, મદ્રાસમાં ફિલોસોફીનો અભ્યાસ કર્યો.
- ડૉ. રાધાકૃષ્ણન તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા અને પછી મૈસુર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા.
- ભારતના ઈતિહાસમાં તેમને અત્યાર સુધીના મહાન ફિલસૂફોમાંના એક ગણવામાં આવે છે.
- ડૉ. રાધાકૃષ્ણને 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1962થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
- ડૉ. રાધાકૃષ્ણન 1949થી 1952 સુધી સોવિયત સંઘમાં ભારતના રાજદૂત પણ હતા.
- ડૉ. રાધાકૃષ્ણને ચોથા ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી હતી.
- ડૉ. રાધાકૃષ્ણન 1939થી 1948 સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીના ચાન્સેલર પણ હતા.
- 1984માં તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
- ડૉ. રાધાકૃષ્ણનના કેટલાક નોંધપાત્ર કાર્યોમાં સમકાલીન ફિલોસોફીમાં ધર્મનુ શાસન, રવીન્દ્રનાથ ટાગોરનુ દર્શન, જીવનનો હિંદુ દૃષ્ટિકોણ, કલ્કી કે સંસ્કૃતિનુ ભવિષ્ય, જીવનનો એક આદર્શવાદી દૃષ્ટિકોણ, આપણને જે ધર્મની જરૂર છે, ભારત અને ચીન અને ગૌતમ બુદ્ધનો સમાવેશ થાય છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
