ઇરાક સંકટ સુધી સિમિત રહી જાય છે ચર્ચા, કોઇ ઉઠાવતું નથી શિયા-સુન્નીની આ 13 વાતો
બેંગ્લોર, 24 જૂન: ઇરાક સંકટથી ઉદભવેલા પ્રશ્નોથી વધુ જવાબ આજે માણસાઇ અને સંપ્રદાય વચ્ચે તિરાડ પેદા કરી રહ્યાં છે. એકદમ આસાન છે કે 'શિયા-સુન્ની' ટકરાવ કહીને ઇરાકના ઉગ્રવાદીઓ તથા સરકારી તંત્ર પર ચર્ચા કરી પાનું પલટી દેવું. આવો આજે ખોલીએ તે સ્તર જે ફક્ત ધર્મગુરૂઓના ગ્રંથોમાં કેદ છે કે પછી કોઇ 'કોમ્યુનલ' નેતાની જુબાન પર છે.
દુનિયાના મુસલમાન 73 અલગ-અલગ સાંપ્રદાયિકમાં વહેંચાયેલા છે, જેમાં શિયા-સુન્ની મુખ્ય છે. પૈગંબર મોહમંદ સાહેબના ગયા બાદ આ બંને સમુદાયોએ પોતાના રસ્તા અલગ કરી દિધા અને તેમનો શરૂઆત વિવાદ એ વાતને લઇને હતો કે હવે કોણ મુસલમાનોનું નેતૃત્વ કરશે. આ બધુ ગત 1400 વર્ષોથી ચાલી આવી રહ્યું છે.
આજે ઇરાક સંકટની ડોર વડે બંધાયેલ છે, જ્યાં સુન્નીઓનું સંગઠન આઇએસઆઇએસ મુખ્ય રીતે શિયાઓને નિશાન બનાવી રહ્યાં છે. એવામાં બંને જૂથો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો છે જે તમારે જરૂર જાણવી જોઇએ.

સાથ સદીઓનો
મુસલમાનોમાં વધુ સંખ્યા સુન્નીઓની છે જે કુલ મુસ્લિમ વસ્તીના 85 ટકામાંથી 90 ટકા માને છે. બંને સમુદાય સદીઓ સુધી હળીમળીને એકસાથે રહે છે પરંતુ તેમની માળખાકિય ધાર્મિક આસ્થાઓ અને રીતિ-રિવાજ થોડા અલગ છે.

નેતાઓના વચ્ચે ખાઇ
લગ્નની વાત કરીએ તો બંને બચ્ચે મતભેદ પેદા થતા રહે છે. બંનેના સિદ્ધાંત, અનુષ્ઠાન, કાનૂન, ધર્મશાસ્ત્ર લગભગ અલગ જ છે. જો કારણ છે કે ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે બંને જૂથોના ધર્મગુરૂઓ વચ્ચે એક ખાણ બની ગઇ છે.

સીરિયા, ઇરાક અને પાક
સીરિયાથી માંડીને ઇરાક અને પાકિસ્તાન સુધી કેટલાક દેશોમાં તાજેતરમાં જ બંને સમુદાયો વચ્ચે હિંસા જોવા મળી છે અને તેનાથી તેમાં મતભેદોની ખાણ વધુ વધી ગઇ છે.

સુન્ની પરિચય
સુન્ની મુસલમાન પોતાને ઇસ્લામની પુરાતનપંથી અને પારંપરિક શાખા સમજે છે. તાલિબાન સુન્ની જૂથ છે તાલિબાન ચરમપંથી ઘણીવાર શિયા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવે છે.

સુન્નીનું કર્તવ્ય
સુન્ની શબ્દ 'અહલ-અલ-સુન્ના'થી આવ્યો છે, જેનો અર્થ થાય છે પરંપરા માનનાર લોકો. આ મુદ્દે પરંપરાનો અર્થ છે પૈગંબર મોહંમદ કે તેમના નજીકના લોકો સાથે અસ્તિત્વમાં આવેલા ઉદાહરણો અને નિર્દેશો પર કામ કરવું.

કોણ છે પ્રમુખ
કુરાનમાં જે પૈગંબરોનો ઉલ્લેખ છે, સુન્ની તે બધાને માને છે, પરંતુ તેમના માટે મોહંમદ અંતિમ પૈગંબર હતા. ત્યારબાદ જે પણ મુસલમાન નેતા થયા, તેમને સાંસારિક હસ્તીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે.

કોને માનીએ
કુરાનમાં જે બધા પૈગંબરોનો ઉલ્લેખ છે, સુન્ની તે બધાને માને છે, પરંતુ તેમના માટે મોહંમદ અંતિમ પૈગંબર હતા. ત્યારબાદ જે પણ મુસલમાન નેતા થયા, તેમને સાંસારિક હસ્તી માનવામાં આવે છે.

શિયા પરિચય
ઇસ્લામી ઇતિહાસ અનુસાર શિયા શબ્દનો શાબ્દિક અર્થ છે 'રડનાર'. આ સુન્નીઓના ચોથા ખલીફા અને શિયાઓના પહેલા ઇમામ હજરત અલીને માને છે. શિયાઓનું અસ્તિત્વ કરબલાની જંગ બાદ આવ્યું.

શિયા સુન્નીમાં ટકરાવ
અરબમાં હજરત અલીની વિરોધ થતાં તેમના વિરોધીઓએ તેમની હત્યા કરી દિધી હતી. તેમના પુત્ર ઇમામ હુસૈન યુદ્ધમાં મૃત્યું પામ્યા હતા. જ્યારે હસન વિશે માનવામાં આવે છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ બધુ શિયા-સુન્ની ટકરાવના લીધે થયું હતું. તે ટકરાવ આજે પણ ચાલતો આવી રહ્યો છે, જેનું પરિણામ ઇરાકમાં જોવા મળી રહ્યું છે.

સંખ્યાની માંગ
દુનિયાના કેટલાક સુન્ની મુસલમાનોની 18 ટકા સંખ્યા શિયા મુસલમાનોની છે.

શું મળે છે પ્રોત્સાહન
તો પોતાને ભેદભાવ અને દમનનો શિકાર માને છે. એવું કહે છે કે કેટલાક સુન્ની ચરમપંથી સિદ્ધાંતોમાં શિયાઓના વિરૂદ્ધ નફરતને પ્રોત્સાહન આપવામાં આવે છે.

કાવતરું કે પહેલ
ઇરાનની સરકારે પોતાની સીમાઓથી બહાર શિયા લડાકુ અને પાર્ટીઓને સમર્થન આપ્યું જ્યારે ખાડી દેશોએ પણ આ પ્રકાર સુન્નીઓને પ્રોત્સાહન આપ્યું. તેનાથી દુનિયામાં સુન્ની સરકારો અને આંદોલનની સાથે તેમનો સંપર્ક મજબૂત થયા.

મજબૂતી બનશે કમજોરી
સીરિયા અને ઇરાકમાં ચાલુ સંકટમાં શિયા અને સુન્ની વિવાદની ગુંજ સંભળાઇ છે. આ બંને દેશોમાં યુવા સુન્ની વિદ્રોહી જૂથોમાં સામેલ થઇ રહ્યાં છે. તેમાં ઘણા લોકો અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાને માને છે. બીજી તરફ શિયા સંપ્રદાયના ઘણા લોકો સરકાર તરફથી કે સરકારી સેનાઓની સાથે મળીને લડી રહ્યાં છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
