જ્યારે એક યુવતિના સવાલનો જવાબ ના આપી શક્યા ઝુકરબર્ગ!
ભારતમાં પોતાની બીજી આધિકારિક મુલાકાત દરમ્યાન ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ બુધવારે દિલ્હી IIT ટાઉનહોલ Q&Aના સત્રમાં પહોંચ્યા હતા. જ્યાં IIT દિલ્હીના વિદ્યાર્થીઓ હાજર હતા. ઝુકરબર્ગ પણ પોતાના કાર્યક્રમ માટે સમય પર ત્યાં પહોંચી ગયા હતા.
ટાઉનહોલમાં Q&Aના સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓએ તેમને અનેક સવાલ કર્યા. આ દરમ્યાન જ છાત્રોએ ઝુકરબર્ગને એક સવાલ કર્યો કે કેન્ડી ક્રશની રીકવેસ્ટ આવતા અમે કેવી રીતે રોકી શકીએ છીએ? આ સવાલ સાંભળતા જ ટાઉન હોલમાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. ઝુકરબર્ગે પણ તે સવાલનો જવાબ આપતા કહ્યું કે આ અંગેના ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે.
અન્ય એક વિદ્યાર્થીએ ઝુકરબર્ગને પૂછ્યુ કે તમે ભારતમાં આટલો રસ કેમ ધરાવો છો? જવાબમાં ઝુકરબર્ગે જણાવ્યુ કે ભારત ફેસબુક માટે એક મોટુ અને મહત્વનું બજાર છે. હજી પણ ભારતમાં લોકોની પાસે ઇન્ટરનેટ નથી. ઇન્ટરનેટનું ના હોવુ અહીં એક અર્થવ્યવસ્થાને વિકસીત કરવા માટેની એક ઉત્તમ તક છે. અત્યારે ભારતના 130 મિલીયન લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. પરંતુ 4 બિલિયન લોકો હજી પણ ઇન્ટરનેટથી વંચિત છે. આ લોકોને ઇન્ટરનેટ સાથે જોડવા એક મહત્વનું કાર્ય હશે અને અમે તે કરી શકીએ છીએ.
મહત્વપૂર્ણ છેકે માર્ક ઝુકરબર્ગ પોતાના કાર્યક્રમ અનુસાર મંગળવારે જ ભારત આવી ગયા હતા. તેમણે અહીં આવ્યા બાદ મંગળવારે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તાજમહેલની સુંદરતાને નિહાળીને ઝુકરબર્ગે કહ્યું હતુ કે આ મારા વિચારવા કરતા પણ વધુ સુંદર છે.

કોલેજ ડ્રોપ આઉટ
જ્યારે ફેસબુક અસ્તિત્વમાં ન હોતુ આવ્યું તે પહેલા જ તેમને હાવર્ડ યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારે કોને ખબર હતી કે બહુ જલ્દી તેઓ અરબપતિ બનશે. તેમના સિવાય પણ ઘણાં ડ્રોપઆઉટ હતા કે જેઓ અરબપતિ બન્યા હતા. તેમા બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સનો પણ સમાવેશ થાય છે.

વિશ્વના 14માં અમીર માણસ
માર્ક ઝુકરબર્ગ વિશ્વમાં સૌથી ઓછી ઉંમરમાં અરબપતિ બનનાર માણસ છે. ફેસબુકની અપાર સફળતાએ તેમને આ ઓળખ આપી છે.

માર્ક ઝુકરબર્ગનો જન્મ
માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે, 1984માં ન્યૂયોર્કમાં થયો હતો. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અધવચ્ચે જ ભણવાનું છોડી દીધુ હતુ.

કલર બ્લાઇન્ડ
ફેસબુકના CEO ઝુકરબર્ગ કલર બ્લાઇન્ડની બિમારીથી પિડીત છે. અને એટલે જ તેમણે તેમની સાઇટ માટે ડાર્ક બ્લુ રંગની પસંદગી કરી છે. જેનાથી તેમને દેખવામાં કોઇ પરેશાની ના થાય.

આખુ નામ
દુનિયાની સૌથી મોટી સોશ્યિલ નેટવર્કીંગ વેબસાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગનું આખુ નામ ઇલયટ ઝુકરબર્ગ છે.

કોલેજમાં ફેસબુકની શરૂઆત કરી હતી
યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન જ માર્કે એક વેબસાઇટ ફેસમૈશની શરૂઆત કરી હતી. આ સાઇટે કોલેજમાં કોઇ કમાલ નહોતી બતાવી. પરંતુ આ જ સાઇટને જ્યારે માર્કે ફેસબુક ડોટ કોમના નામથી પબ્લીકમાં લોન્ચ કરી તો આ સાઇટે ધમાલ મચાવી દીધી.

ફોર્બ્સ
ફોર્બ્સ પત્રિકા મુજબ માર્ક ઝુકરબર્ગ દુનિયાના 14માં સૌથી અમિર વ્યક્તિ છે.

માર્ક ઝુકરબર્ગના લગ્ન
માર્કે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિંસીલા ચાનની સાથે કેર્લિફોર્નિયામાં એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા. ઝુકરબર્ગ દ્વારા લગ્નની ફોટો ફેસબુક પર જ્યારે પોસ્ટ કરવામાં આવી તેની 30 મિનિટ બાદ કુલ 1,31,000 લાઇક મળી ગઇ હતી.

ઇબોલા માટે 2.5 કરોડ ડૉલરનું દાન
માર્ક ઝુકરબર્ગે ઇબોલાના નિયંત્રણ માટે 2.5 કરોડ ડૉલરનું દાન કર્યું હતુ.

યુવા ઉંમરમાં જ પ્રોગ્રામર બની ગયા હતા માર્ક ઝુકરબર્ગ
ખુબ જ નાની વયમાં માર્ક ઝુકરબર્ગ પ્રોગ્રામર બની ગયા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
