નવરાત્રીમાં ગપ-ગપ ફાસ્ટ ફૂડ ખાનારા તમામ જુએ આ Video
નવરાત્રીમાં શું તમે તમારું વજન પતળું કરવા માંગો છો. જો નવરાત્રી પછી તમારે જાડા ના થવું હોય તો જાણો ડાયેટીશ્યન આ અંગે શું સલાહ આપે છે. જુઓ વીડિયો.
Recommended Video
નવરાત્રીમાં મોટા ભાગના ખૈલેયાઓ પહેલા જ જોરદાર ગરબા રમે છે. અને પછી જેવો ગરબાનો બ્રેક પડે છે ત્યારે પાસેથી લારી કે હોટલમાં જઇને દબાવીને પીઝા, સેન્ડવીચ, કોલ્ડડ્રીંક્સ ગટકાવી મારે છે. અને પછી ઘરે જઇને નિરાંતે સુઇ જાય છે. તો તમે પણ આવું જ કરતા હોવ તો તમારે આ લેખ અને વીડિયો જરૂરથી વાંચવો રહ્યો. તેમાં પણ ત્યારે ખાસ જ્યારે તમે નવરાત્રી પછી વજન વધારવા ના માંગતાં હોવ તો.
અમે જાણીતા નુટ્રિશનિસ્ટ અને ડાયેટીશ્યન જોડે આ અંગે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે નવરાત્રી પછી તેમને જોડે તેવા કેસ વધુ આવે છે જેમાં લોકોને નવરાત્રી પછી વજન વધવાની તકલીફ રહેતી હોય. તો શું નવરાત્રીમાં આટલું રમ્યા પછી કંઇ નહીં ખાવાનું? તો તેનો જવાબ એ છે કે તમે રમતા પહેલા જ સાંજે ભોજન કરી લો. ગરબાના એક થી બે કલાક પહેલા ભોજન અને ગરબા વખતે પાણી પીવાથી તમે ગરબાની મજા સાથે પોતાનું વજન પણ સાચવી શકશો. વધુ માહિતી ઉપરોક્ત વીડિયોમાંથી મેળવો.