બાળ ઠાકરે રાવણ હતાઃ કમાલ ખાન
મુંબઇ, 19 નવેમ્બરઃ ફરી એકવાર બોલિવુડના વિવાદિત અભિનેતા કમાલ ખાને દિવંગત નેતા બાળ ઠાકરે અંગે તીખી ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે બાળા સાહેબ ઠાકરે રામ નહીં પણ રાવણ હતા, જ્યારે રાવણ મર્યો, ત્યારે આખી લંકા રોઇ હતી, પરંતુ આખરે તે રાવણ હતા અને તેને હંમેશા રાવણના નામથી જ ઓળખવામાં આવશે.

કમાલ ખાનના આ નિવેદન પર હાલ કોઇપણ શિવસૈનિક તરફથી ટિપ્પણી આવી નથી. તમને જણાવી દઇએ કે આ એ જ કમાલ ખાન છે જેમની બિહારીઓ પર આધારિત ફિલ્મ દેશદ્રોહીને શિવસૈનિકોએ મુંબઇમાં ચાલવા દીધી નહોતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડી હતી.












Click it and Unblock the Notifications
