‘બળાત્કારને ઈજ્જત લૂંટવી, નાક કપાવુ સમજવામાં આવે છે, આ કેવો કાયદો છે?': ભડકી ઋચા ચડ્ઢા
ઋચા ચડ્ઢા બોલિવુડની એ સ્ટાર્સમાંથી છે જે પોતાનું મંતવ્ય બેબાક રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઋચાની પકડ મજબૂત રહી છે.
ઋચા ચડ્ઢા બોલિવુડની એ સ્ટાર્સમાંથી છે જે પોતાનું મંતવ્ય બેબાક રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઋચાની પકડ મજબૂત રહી છે. તમને જણાવી દઈએ કે ઋચાની આવનારી ફિલ્મ 'સેક્શન 375' એક મોટા સવાલ સાથે દર્શકો સામે આવવાની છે. આ ફિલ્મમાં જબરદસ્ત કોર્ટ રૂમ ડ્રામા અને દેશ, સમાજના કડવા સત્યોની ઝલક જોવા મળવાની છે. ઋચા અને અક્ષય ખન્ના આ ફિલ્મમાં વકીલની ભૂમિકા નિભાવવાના છે.
નારાજગી વ્યક્ત કરી
રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ ઋચા ચઢ્ઢાએ બળાત્કાર મામલે બનેલા કાયદા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે તેણે શું કહ્યુ છે...
સામાજિક કલંકના કારણે
ઋચા કહે છે કે કાયદો એવો છે કે મહિલાઓ પોતાના યૌન શોષણના કેસોની રિપોર્ટ કરી શકે. મારા મત મુજબ કાયદો એટલો જ મજબૂત કે નબળો હોય છે જેટલે તેમના હાજર સમાજ અને સરકારનો પક્ષ. બળાત્કારના કેસ ઘણી વાર સામાજિક કલંકના કારણે રિપોર્ટ કરવામાં નથી આવતા.
આ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદનના શૌર્ય પર બનશે ફિલ્મ ‘બાલાકોટ', વાયુસેનાએ વિવેક ઑબેરોયને આપી અનુમતિ
ઈજ્જત લૂંટાવી અને નાક કપાવુ
તે આ વાતને આગળ વધારતા વિસ્તારથી કહે છે કે બળાત્કારનું વર્ણન કરવા માટે ઈજ્જત લૂંટાવી અને નાક કપાવા જેવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યવસ્થાને આપણે ઠીક કરવી પડશે. ઘણા એંગલથી જોવુ પડશે.
નિર્ભયા કેસ બાદ
તેમણે પોતાની વાત રાખતા જણાવ્યુ કે સમાજને જાગૃત થવાની જરૂર છે. આશ્ચર્યજનક છે કે પોલિસ આ કેસમાં એફઆઈઆર ફાઈલ કરતી નથી. નિર્ભયા કેસમાં બળાત્કારના કાયદામાં સુધારો કરવામાં આવ્યો. પરંતુ તે બાદમાં કેટલો સફળ થયો એ જોવુ જોઈએ.
મી ટુ પર આ કહ્યુ
મી ટુના આરોપ પર ઋચાએ કહ્યુ કે મીડિયા પોતે જે આરોપી છે તેમની પ્રેસ કૉન્ફરન્સમાં જાય છે. પહેલા તો તમારે પોતાને જોવુ જોઈએ. મારા ખ્યાલથી જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આપણે આપણુ મંતવ્ય ન બનાવવુ જોઈએ.