રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની મળેલી કુલ ૧૪૮ ફરિયાદો
અમદાવાદ, 3 એપ્રિલઃ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની એક અખબારી યાદીમા જણાવાયું છે કે, ભારતના ચૂંટણી પંચે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૪ની તા. ૫ માર્ચ ૨૦૧૪થી જાહેરાત કરી તે દિવસથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલ માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં આદર્શ આચારસંહિતાના ભંગની મળેલી ફરિયાદો વિશે વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, અત્યાર સુધીમાં કુલ ૧૪૮ ફરિયાદો મળી છે. આ પૈકી ૯૪ ફરિયાદોનો નિકાલ થઈ ગયો છે જ્યારે ૫૦ ફરિયાદો જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા નિકાલની પ્રક્રિયા હેઠળ છે, આ ફરિયાદો પૈકી સૌથી વધુ ૨૬ ફરીયાદો કચ્છ જિલ્લામાંથી પ્રાપ્ત થઈ છે.

આ ઉપરાંત સામાન્ય પ્રકારની ૧૦૬ ફરિયાદો મળી છે. જે પૈકી ૬૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, ૩૯ ફરિયાદો નિર્ણય અને નિકાલ કરવાની પ્રક્રિયામાં છે. જે પૈકી એક ફરિયાદ ચૂંટણી પંચ, નવી દિલ્હીને માર્ગદર્શન અને નિર્ણય માટે મોકલી આપવામાં આવી છે.
આદર્શ આચારસંહિતા ભંગની મળેલી ફરિયાદો પૈકી જિલ્લાવાર વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કુલ મળેલી ૧૪૮ ફરિયાદો પૈકી સૌથી વધુ ૨૬ ફરિયાદો કચ્છ જિલ્લામાંથી આવી છે. જયારે બનાસકાંઠામાં-૧૮, અને નવસારીમાં-૧૩, ભરૂચમાં-૧૧, તાપી અને મહેસાણામાં-૮-૮ ફરિયાદો મળી છે.
| ક્રમ | જિલ્લો | મળેલી ફરિયાદ | નિકાલ | પડતર | એફઆઈઆર |
| ૧ | કચ્છ | ૨૬ | ૨૨ | ૪ | ૧ |
| ૨ | બનાસકાંઠા | ૧૮ | ૧૨ | ૬ | |
| ૩ | મહેસાણા | ૮ | ૫ | ૩ | ૩ |
| ૪ | ગાંધીનગર | ૬ | ૪ | ૨ | ૧ |
| ૫ | અમદાવાદ | ૪ | ૧ | ૩ | |
| ૬ | રાજકોટ | ૬ | ૫ | ૧ | ૧ |
| ૭ | જામનગર | ૧ | ૧ | ||
| ૮ | જૂનાગઢ | ૬ | ૩ | ૩ | |
| ૯ | અમરેલી | ૩ | ૩ | ||
| ૧૦ | પંચમહાલ | ૩ | ૨ | ૧ | |
| ૧૧ | દાહોદ | ૫ | ૩ | ૨ | |
| ૧૨ | વડોદરા | ૭ | ૫ | ૨ | |
| ૧૩ | પોરબંદર | ૧ | ૧ | ||
| ૧૪ | ભરૂચ | ૧૧ | ૪ | ૭ | |
| ૧૫ | નવસારી | ૧૩ | ૮ | ૫ | |
| ૧૬ | તાપી | ૮ | ૩ | ૫ | |
| ૧૭ | દ્વારકા | ૧ | ૧ | ||
| ૧૮ | મહિસાગર | ૧ | ૧ | ||
| ૧૯ | સુરેન્દ્રનગર | ૨ | ૨ | ||
| ૨૦ | ભાવનગર | ૩ | ૧ | ૨ | |
| ૨૧ | સુરત | ૧ | ૧ | ||
| ૨૨ | ડાંગ | ૧ | ૧ | ||
| ૨૩ | વલસાડ | ૯ | ૭ | ૨ | ૧ |
| ૨૪ | ગીર સોમનાથ | ૧ | ૧ | ||
| ૨૫ | પાટણ | ૩ | ૩ | ||
| કુલ | ૧૪૮ | ૯૪ | ૫૪ | ૭ |
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
