અમદાવાદ નજીક બગોદરા પાસે 25 કરોડની લૂંટ
મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 12 વાગ્યા પછી એ જ ટ્રક પાલનપુર-ડીસા રોડ પરથી મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી 1 કરોડની આસપાસનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે 24 કરોડનો માલ લુંટારાઓ લઇ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આ લૂંટમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર પર શંકાના દાયરામા પોલીસે મુક્યા હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે, રાજકોટ રહેતા વિષ્ણુભાઇ પટેલની ઇશ્વરભાઇ બેચરભાઇ નામની આંગડિયા પેઢી તથા ટ્રાન્સપોટેશનનો ધંધો અમદાવાદના રતનપોળમાં છે. રાજકોટના સોનાના વેપારીઓ અવાર નવાર આ ટ્રાન્સપોટેશન થકી પોતાના માલ-સામાનની હેરાફેરી કરતા હતા. ગત રાત્રે પણ આ જ રીતે આ ટ્રાન્સપોટેશનની ટ્રકમાં રાજકોટની કેટલીક વેપારી પેઢીનો માલ-સામાન લઇ જવામાં આવી રહ્યો હતો, ત્યારે આ સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે લુંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.