જેને પોતાનું ઘર નથી એ બીજાને ઘર આપવા નીકળ્યા છે: અહમદ પટેલ
ભરૂચમાં રાજ બબ્બરે મોદીની સાથો-સાથ લાલ કૃષ્ણ અડવાણીને પણ આડે હાથ લીધા હતા. રાજ બબ્બરે કહ્યું કે ગુરુ પીએમ બનવાના ચક્કરમાં છે અને ચેલો પીએમની લાઇનમાં ઉભો રહેવા જઇ રહ્યો છે.
અહેમદ પટેલે આજે દેડિયાપાડા ખાતે એક સભાનું સંબોધન કરતા મોદી પર ચાબખા કર્યા હતા અને જણાવ્યું હતું કે 'મોદી એક ભ્રષ્ટાચારી નેતા છે. અને દુનિયાભરના કૂતરાઓ ભ્રષ્ટાચારીઓને શોધવા છૂટા મૂકી દેવામાં આવે તો તે સીધા ગાંધીનગરમાં મોદીના બંગલે પહોચી જશે.'
અહમદ પટેલે વધુમાં જણાવ્યું કે 'મોદીને સુલતાન કહેવાથી શા માટે મરચા લાગે છે? મે તો તમને ગુજરાતના સુલતાન કહ્યા એ તો સારી વાત કહેવાયને? તેમણે ઉમેર્યું તમે અમને શીખવશો કે લોકશાહી શું છે?'
પટેલે જણાવ્યું કે મોદીએ બહેનોને એક વખત કહ્યું હતું કે તમે મને એક કાગળ લખજો હું તમારી વહારે આવીને ઉભો રહીશ. પટેલે જણાવ્યું કે આ બહેનો અહી વલખા મારે છે, તેમણે કાગળો લખી લખીને થાક્યા, પણ મોદીજી પત્રો વાંચતાય નથી અને તેમના કાને બહેનોનો અવાજ સંભળાતો પણ નથી.
તેમણે જણાવ્યું કે મોટાભાગના વિકાસ કોંગ્રેસના રાજમાં થયા છે. 108ની સુવિધા કેન્દ્ર સરકારની દેન છે અને રાજ્ય સરકાર આ યોજના પોતાના નામે ચડાવી રહી છે. વીજળીમાં ગુજરાત ઉન્નત છે તેના પાછળ પણ કેન્દ્રની મદદ છે, અને મોદી સરકાર બધી યોજનાને પોતાના નામે ચઢાવી રહી છે.