વડોદરા રેલ્વે સ્ટેશને દિવ્યાંગો માટે બેટરી કારનો પ્રારંભ
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ તેમ ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશને બેટરી સંચાલિત કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ તેમ ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશને બેટરી સંચાલિત કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવા રથ નામના આ પ્રોજેક્ટને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ તથા પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મેનેજર અમિતકુમાર સિંહ સહિતના અધિકારીઓએ ખુલ્લો મૂક્યો હતો. બેટરી સંચાલિત કાર દિવ્યાંગ, વૃદ્ધ તેમજ બિમાર મુસાફરોની સેવા માટે પ્રાંરભિક તબક્કામાં પ્લેટફોર્મ નંબર ૧, ૭ અને ૬ પર રાખવામાં આવશે. આ સેવા માટે BOC એપ્લિકેશનની મદદ લેવા હેલ્પલાઇન નંબર પણ સ્ટેશન પર ડિસ્પલે કરવામાં આવ્યા છે.

કોર્પોરેટ કંપનીઓ તેમજ સરકારી મોટી કંપનીઓ સીએસઆર એક્ટિવિટી હેઠળ લોકકલ્યાણના કાર્યોમાં સહભાગી થતી હોય છે તે અંર્તગત આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગજનો માટે ઉપયોગી પહેલની જે વાત વહેતૂ મૂકી છે તે બાબતને ધ્યાનમાં રાખતા દિવ્યાંગજન, વૃદ્ધ તેમજ બિમાર લોકેોની અવરજવર માટે બેટરી સંચાલિત કારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે વૃદ્ધ તેમજ દિવ્યાંગજનોએ આનંદથી આ સેવાને વધાવી લીધી હતી.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
