માયાવતીએ જનસભાને કહ્યું ઉનાકાંડમાં ભાજપ ન્યાય નહીં આપે!
ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિતોને મળવા માટે બસપા સુપ્રીમો માયાવતી આજે અમદાવાદની મુલાકાતે છે અને તેઓ અમદાવાદ એરપોર્ટથી આવીને સારંગપુર ખાતે પહોંચ્યા છે. સારંગપુર ખાતે તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સારંગપુરમાં મોટીસંખ્યામાં બસપા કાર્યકરો સમક્ષ માયાવતીએ જનસભાને સંબોધી હતી અને ગુજરાત સરકાર અને ભાજપ પર નિશાન તાક્યું હતું.
ઉના દલિત કાંડ મામલે બોલતા માયાવતીએ કહ્યું કે ભાજપવાળા દલિતોને ન્યાય નહી આપી શકે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે કંઇ કર્યું નહીં એટલે મારે અહીં આવવું પડ્યું. નોંધનીય છે કે ચોર્ટર પ્લેનમાં આવેલી માયાવતીને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી.

વળી સિવિલ હોસ્પિટલ ખાતે ઉના કાંડના પીડિત દલિત યુવાનો સાથે મુલાકાત વખતે પણ સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. ત્યારે આજના એક દિવસના આ કાર્યક્રમ બાદ માયાવતી પરત ફરવાના છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
