ગુજરાતમાં કંઇક આ રીતે અપાઇ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ
ગાંધીનગર, 14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આનંદીબહેન પટેલે ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષય શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. આ વેળાએ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ, મેયર મહેન્દ્રસિંહ રાણા, વિધાનસભા ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, દંડક પંકજ દેસાઇ અને ધારાસભ્યો, અગ્રણીઓ તથા નાગરિકો પણ જોડાયા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
બાબા સાહેબને શ્રદ્ધાંજલિ જુઓ તસવીરોમાં...

આંબેડકરની 125મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

પુષ્પાંજલિ અર્પણ
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ગણપતસિંહ વસાવા
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહયા હતા.

શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા
ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષયક શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી








Click it and Unblock the Notifications
