ગુજરાતમાં કંઇક આ રીતે અપાઇ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ
ગાંધીનગર, 14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આનંદીબહેન પટેલે ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષય શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. આ વેળાએ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ, મેયર મહેન્દ્રસિંહ રાણા, વિધાનસભા ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, દંડક પંકજ દેસાઇ અને ધારાસભ્યો, અગ્રણીઓ તથા નાગરિકો પણ જોડાયા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
બાબા સાહેબને શ્રદ્ધાંજલિ જુઓ તસવીરોમાં...

આંબેડકરની 125મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

પુષ્પાંજલિ અર્પણ
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ગણપતસિંહ વસાવા
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહયા હતા.

શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા
ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષયક શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
