આત્મવિલોપન કરનાર ભાનુભાઇનું થયું નિધન, ઓઢવમાં થયો વિરોધ
પાટણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું નિધન થયું છે. આ અંગે જીજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતા છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. ઓઢવ ખાતે પણ આનો વિરોધ થયો હતો. જાણો આ સમાચાર અંગે વધુ વિગતો અહીં.
પાટણની જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસે આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે એપોલો હોસ્પિટલમાં મોત થયું છે. જમીન મુદ્દે દલિત સામાજિક કાર્યકર ભાનુભાઇએ કલેક્ટ કચેરી સમક્ષ આત્મદાહ કર્યો હતો. જે બાદ તેમને સાંજે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટનામાં તેમનું 95 ટકા શરીર બળી ગયું હતું. અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ મોડી સાંજે તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે દલિત મુદ્દાઓને લઇને લડતા ભાનુભાઇની મોત પછી ગુજરાતનું રાજકારણ પર ગરમાયું છે. આ મામલે દલિત સમાજે પાટણમાં રેલી નીકાળી હતી અને દુકાનો બંધ કરાવી હતી. પીએમ કરાવ્યા પછી તેમનું મૃતદેહ તેમના માદરે વતન લઇ જવામાં આવશે. જો કે દલિતભાઇ દ્વારા આત્મવિલોપન કર્યા પછી જીજ્ઞેશ મેવાણી સમેત અનેક નેતાઓ દોડી આવ્યા હતા. અને તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો.

તો બીજી તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર બાળીને ભાનુભાઇની મોત પછી સરકારનો વિરોધ કર્યો હતો. ઓઢવના મનમોહક ચોકડી પાસે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સતર્ક થઇ છે. અને પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો બંદોવસ્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણ કલેક્ટર કચેરી ખાતે જમીન મામલે ભાનુભાઇ અગાઉથી જ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગણી પણ ઊઠી હતી. વધુમાં આજે સવારે આ અંગે તેમનો પરિવાર અને જીજ્ઞેશ મેવાણી પ્રેસ કોન્ફર્ન્સ પણ કરવાના છે. ત્યારે આવનારા સમયમાં આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડી શકે તેમ છે.
ભાનુભાઈ વણકર આપણી વચ્ચે રહ્યા નથી. દલિત વિરોધી ભાજપ સરકારે આ સંનિષ્ઠ આંબેડકરવાદી કર્મશીલનો ભોગ લીધો. આપણે સૌ અત્યંત વ્યથિત અને આક્રોશીત છીએ, પણ આવતી કાલે તેમના પરિવારના સભ્યો જે કોલ આપે તે મુજબ કોલને ઝીલી લઇ ન્યાયની આ લડાઈ ને તેના આખરી અંજામ સુધી લઈ જવા પ્રયત્નશીલ બનીશું.
— Jignesh Mevani (@jigneshmevani80) February 16, 2018
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
