મનમોહન સિંહ: નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદી ક્યારેય મને મળ્યા નથી
ગુજરાતમાં મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી મને ક્યારેય નર્મદા યોજના મુદ્દે વાત કરવા મળ્યા નથી.
ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવતા-આવતા રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે વાતાવરણ વધુ ને વધુ ગરમાઇ રહ્યું છે. મંગળવારે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અહીં તેમણે જીએસટી અને નોટબંધીના મુદ્દે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી તેમને ક્યારેય નર્મદા યોજના માટે મળ્યા જ નથી. તેમણે કોઇ રજૂઆત કે ચર્ચા નર્મદા યોજના અંગે કરી નહોતી. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, વર્લ્ડ બેંક દ્વારા જ્યારે નર્મદા યોજના માટે નાણાં આપવાની ના પાડવામાં આવી ત્યારે હું નાણાં મંત્રી હતો અને મેં યોજના માટે નાણાંની ફાળવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી પણ આ પહેલાં અનેકવાર પોતાના ભાષણમાં નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં કહી ચૂક્યાં છે કે, તેઓ ઘણી વાર નર્મદા યોજનાના કામ અંગે તે સમયના પીએમ મનમોહન સિંહને મળ્યા હતા, પરંતુ કોઇ ને કોઇ કારણોસર કામ પૂર્ણ નહોતું થતું. આથી હવે મનમોહન સિંહના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. આ અંગે વાત કરતાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ડૉ.મનમોહન સિંહના આંખ, કાન બંધ છે. એ સમયે અનેક બેઠકોમાં નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના અંગે રજૂઆત કરી હતી. પરંતુ નરેન્દ્રભાઇ ગમે એટલું બોલે એમને ક્યાં સંભળાય છે?
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
