કનોડિયા બંધુઓ કોંગ્રેસમાં જોડાઇ શકે

આ પક્ષ પલટો આ સપ્તાહે અંજામ લઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા ગત સોમવારે અસારવામાં યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં કોંગ્રેસમાં જોડાવાની જાહેરત કરવાના હતા. જો કે આ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગતા હતા.
કનોડિયા બંધુઓની ઇચ્છા ભાજપમાંથી ટિકીટ મેળવવાની છે. આ માટે તેઓ મંગળવારે મોદીને મળવાના હતા. પણ ભાજપ કે નરેન્દ્ર મોદી તરફથી કોઇ ખાતરી કે પ્રતિક્રિયા નહીં મળતા તેઓ પક્ષ પલટો કરી શકે છે. નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા કોઇ પણ એસસી બેઠક પર કોંગ્રેસની ટિકીટ પર લડવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસે પણ સહમતી દર્શાવી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મહેશ કનોડિયા ઉત્તર ગુજરાતની પાટણ (એસસી) બેઠક પરથી ચાર વાર ચૂંટાયા હતા. નવા સીમાંકનને કારણે પાટણ બેઠક બિનઅનામત થતા તેમને ટિકીટ આપવામાં આવી ન હતી. નરેશ કનોડિયા મધ્ય ગુજરાતની કરજણ બેઠક પરથી ભાજપની ટિકીટ સાથે 2002ની ચૂંટણી જીત્યા હતા પણ 2007માં હારી ગયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
