કાશ્મીરમાં અમદાવાદના જવાન ગોપાલભાઇ સિંહ થયા શહીદ
ગુજરાતના વીર શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ કાશ્મીર હુમલામાં દેશની રક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. જાણો આ ગુજરાતી શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ વધુ અહીં.
રવિવારે કાશ્મીરના કુલગામમાં હિજબુલ મુઝાઇદ્દીનના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના બે આતંકીઓની મોત થઇ હતી. જેમના નામ છે શહીદ સિપાહી રધુવીર સિંહ અને શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ. હિજબુલ મુઝાઇદ્દીનના આતંકીઓએ ઘરની છત પરથી છુપાઇને જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આ બે જવાનો શહિદ થયા હતા. ત્યારે આ હુમલામાં શહીદ થયેલા શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ ગુજરાત અમદાવાદના વતની છે. રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતા ગોવિંદભાઇનો પરિવાર અમદાવાદમાં રહે છે. ત્યારે આ સમાચાર સાંભળીને તેમનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો છે.

નોંધનીય છે કે ગોપાલભાઇએ જ્યારે મુંબઇમાં તાજ હોટલ પર આતંકી હુમલો થયો હતો ત્યારે પણ ત્યાં પોતાની ફરજ બજાવીને દેશની રક્ષા કરી હતી. છેલ્લા 18 વર્ષથી દેશ માટે પોતાની સેવા આપી રહેલા ગોવિંદ ભાઇએ એનએસજી કમાન્ડો તરીકે પણ કામ કર્યું છે. ગોપાલભાઇના પરિવારના અન્ય સભ્યો પણ લશ્કરમાં જોડાયેલા છે. ગોપાલભાઇનો પરિવાર અમદાવાદના બાપુનગરમાં હીરાવાડીમાં આવેલી મા શક્તિ સોસાયટીમાં રહે છે. વધુમાં ગોપાલભાઇ હાલ જાન્યુઆરીમાં જ રજા પરથી પરત જોડાયા હતા. ત્યારે ગુજરાતના આવા વીર શહીદને અમે શત શત પ્રણામ કરીએ છીએ.
-
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું?











Click it and Unblock the Notifications
