'હું 181 બેઠકો પર મહેનત કરું, તમે માત્ર મણીનગરને વિજયી બનાવો'

પોતે મણીનગર ખાતેથી જ ચૂંટણી લડવાના હોવાની વાતને સ્પષ્ટ કરતા નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે ચાલો આપણે સ્પર્ધા કરીએ, તમે મણીનગરમાં જંગી લીડ માટે પ્રયાસ કરો અને હું 181 બેઠકોમાંથી વધુને વધુ બેઠકો જીતવા મહેનત કરું. મારો કાર્યકર વિજયી બનવા સઘન પ્રયાસ કરશે એવો મને વિશ્વાસ છે.
આ તકે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું નહીં ચુકતા મોદીએ કહ્યું કે, ગુજરાતમાં લાંબા સમયથી સત્તા પરથી દૂર રહેલી કોંગ્રેસે બેફામ જુઠાણા, કાદવ ઉછાળવા માટે એક અલાયદો વિભાગ ખોલ્યો છે અને તેની પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, પરંતુ ગુજરાતની જનતા એમને ઓળખી ગઇ છે અને એટલા માટે જ લાંબા સમયથી તેને સત્તાથી દૂર રાખી છે, મને વિશ્વાસ છે કે આ વખતે પણ જનતા કોંગ્રેસને ગુજરાતની બહાર કરી દેશે.












Click it and Unblock the Notifications
