કયા ફિક્સ પગારદારોને રાજ્ય સરકારે આપ્યો બમણો લાભ? જાણો

7માં પગારપંચ મામલે ઉપ.મુખ્યમંત્રી નીતિન પટેલ કરી જાહેરાત. વિદ્યાસહાયકો, ફિક્સ પગારદારોને સરકાર તરફથી મળ્યો મોટા લાભ. જાણો વિગતવાર અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર હાલ ગુજરાત સરકારના તમામ નિર્ણયો પર સ્પષ્ટ દેખાઇ રહી છે. રાજ્ય સરકારે બુધવારે 75 હજાર કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે ત્યારે જ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરીને કર્મચારીઓને ખુશ કરી દીધા છે. જેમાં મોટો ફાયદો વિદ્યાસહાયકો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળ સંપત્તિ વિકાસ નિગમના અધિકારીઓને થયો છે.ગુજરાતના પાણી પુરવઠા બોર્ડના 2359 કર્મચારી, જળ સંપત્તિ વિકાસ નિગમના 2073 કર્મચારીને 7 માં પગાર પંચનો લાભ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના લીધે સરકાર પર 27 કરોડનો બોજો પડશે. આ લાભ કર્મચારીઓને 1 ઓગસ્ટ 2017થી મળશે પહેલી જાન્યુઆરી 2016 થી એરિયસનો લાભ પણ આપવામાં આવશે.

nitin patel

વધુમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ પર ચાલતી નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત શાળામાં કામ કરતા ફિક્સ પગારદાર શિક્ષકોને 7 માં પગાર પંચનો લાભ આપીને બમણો પગાર કરી દેવામાં આવ્યો છે. મનપા અને નપાના ફિક્સ પગારદાર શિક્ષકોને અત્યારે 11500 પગાર મળે છે. તેમને 7માં પગારપંચના પ્રથમ સ્કેલમાં અમુકીને તેમનો પગાર રૂપિયા 19,950 કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો અમલ પહેલી ફ્રેબુઆરી 2017 થી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X