કોલેજો શરૂ થતા હોસ્ટેલો શરૂ કરવા એનએસયુઆઈની માંગણી
કોરોનાને લઈને રાજ્યમાં લાંબા સમય બાદ શાળા-કોલેજો ધીરે ધીરે ખોલવામાં આવી રહી છે. 15 જુલાઈથી રાજ્યમાં કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે હવે હોસ્ટેલો પણ શરૂ કરવા માંગ ઉઠી છે.
કોરોનાને લઈને રાજ્યમાં લાંબા સમય બાદ શાળા-કોલેજો ધીરે ધીરે ખોલવામાં આવી રહી છે. 15 જુલાઈથી રાજ્યમાં કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે હવે હોસ્ટેલો પણ શરૂ કરવા માંગ ઉઠી છે.
કોલેજો શરૂ થયા બાદ હવે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરિક્ષાઓ પણ યોજવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અંતરિયાળ વિસ્તારના અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. કોરોનાને લઈને રાજ્ય સરકારે કોલેજો તો શરૂ કરાઈ છે પરંતુ હોસ્ટેલો શરૂ ન કરાતા હવે વિદ્યાર્થીઓ હવે પીજી અથવા હોટેલનો સહારો લેવા મજબુર બન્યા છે.
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને એનએસયુઆઈએ હોસ્ટેલો શરૂ કરવા માંંગ કરી છે. એનએસયુઆઈની માંગ છે કે કોલેજો સાથે સાથે હવે હોસ્ટેલો પણ શરૂ કરવામાં આવે, જેથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવે. હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓએ પીજી અથવા હોટેલમાં રોકાવુ પડે છે, જેના કારણે આર્થિક બોઝ પડે છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરિવહન ખર્ચ પણ ભોગવવો પડે છે. બીજી તરફ પરિક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ ઉભી થાય છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં શાળા અને કોલેજો ધીરે ધીરે એક પછી એક ખોલવામાં આવી છે. પરંતુ હજુ હોસ્ટેલો શરૂ કરવાની કોઈ વાત સરકારે કરી નથી. ત્યારે હવે એનએસયુઆઈએ વહેલી તકે હોસ્ટેલ શરૂ કરવાની માંગ કરી છે.