અમદાવાદમાં RAFની ફ્લેગ માર્ચ, 44 લોકોની અટકાયત
મંગળવારની ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ મથક છાવણીમાં ફેરવાયુંબુધવારે આરએએફની ફ્લેગ માર્ચ થઇ હતીઆ અંગે વધુ વાંચો અહીં...
મંગળાવારે રાત્રે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિવિધ મોલમાં તોડફોડ થયા બાદ બુધવારે એક્શન ફોર્સની ફ્લેગમાર્ચ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 25 જાન્યુઆરીએ 'પદ્માવત' ફિલ્મ રીલીઝ થવાની છે ત્યારે રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી છે. આ ફ્લેગ માર્ચ હિમાલયા મોલ પાસે થઈ હતી, તેને થલતેજ ચાર રસ્તાના એક્રોપોલિસ મોલ સુધી લંબાવવામાં આવશે. પોલીસ પલટનના ખડકલાને લીધે હાલમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને જે લોકો નુકસાનનો ભોગ બન્યા છે તેવા લોકોએ બુધવારે સવારથી ફરિયાદ નોંધાવવાનું શરૂ કરતા તોફાની ટોળાં વિરૂદ્ધ આશરે 44 ફરિયાદો નોંધાઈ છે. આ મામલે કુલ 4 ગુના નોંધાયા છે, 3 વસ્ત્રાપુર અને 1 સેટેલાઇટ પોલીસ મથકમાં. રમખાણ અને જનતાને નુકસાનના મામલે કુલ 44 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદના હિમાલય મોલની બહારના 34, પીવીઆરમાં 10 અને આલ્ફા વનમાં કુલ 5 વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ મામલે હજુ પણ વીડિયોગ્રાફી અને સીસીટવી ફૂટેજને આધારે તપાસ કરવામાં આવી રહી છે. પીએસઆઇ વી.આર.પટેલ પર પણ હુમલો કરવમામાં આવ્યો હતો, જે માટે કલમ 307 લગાવવામાં આવી છે. તપાસ માટે આરએએફ અને એસઆરપીએફની પણ મદદ લેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પદ્માવતને લઈ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે રાત્રે અમદાવાદમાં પણ પથ્થરમારો અને આગજનીના બનાવો જોવા મળ્યા હતા. કરણી સેના અને રાજપૂત સમાજના લોકો દ્વારા મંગળવારે શહેરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. તે દરમિયાન પી.વી.આર સિનેમા પાસે કેટલાક અસમાજિક તત્વોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને બહાર રહેલા કેટલાક બાઈકમાં આગ લગાવી હતી. ત્યારબાદ હિમાલયા મોલ પાસે પણ ટોળાએ 25 જેટલા બાઈકમાં આગ લગાવી દીધી હતી અને ડોમિનોઝ પીઝાના ડીલીવરી વાહનો પણ સળગાવી દીધા હતા તેમજ પથ્થરમારો કર્યો હતો. તેમાં અનેક દુકાનોના કાચ તુટી ગયા હતા. પોલીસ દ્વારા કેટલાક અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કરણી સેના અને રાજપૂત સમાજના પ્રભાવિત વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો સરકાર દ્વારા આર્મીને એલર્ટ પર રાખવામાં આવી છે. આ તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.

-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન










Click it and Unblock the Notifications
