કોંગ્રેસ અગ્રણી નરહરિ અમીન ભાજપમાં જોડાઇ શકે

પ્રાપ્ત માહિતી અનુસાર નરહરિ અમીન પાછલી વખતે માતર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા. પણ તેઓ જીતી શક્યા ન હતા. પ્રદેશ કોંગ્રેસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા નરહરિ અમીનને આશા હતી કે આ વખતની ચૂંટણીમાં તેમને પટેલ આગેવાન તરીકે ટિકીટ ફાળવવામાં આવશે. બંને તબક્કાના ઉમેદવારોના નામ જાહેર થઇ જતા હવે નરહરિ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપમાં જોડાવા અંગે વિચાર કરી રહ્યા છે.
સૂત્રો જણાવે છે કે નરહરિ અમીન ભાજપમાં જોડાશે અને ચર્ચા મુજબ સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વર્તમાનમાં ભાજપે સાબરમતી બેઠક પર અરવિંદ પટેલને ટિકીટ આપી છે. આ અંગે નરહરિ અમીને જણાવ્યું કે "મેં હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. હું આગેવાનો અને મારા સમર્થકો સાથે ચર્ચા કરીશ. મારા કોઇ પણ નિર્ણયની મારી રાજકીય કારકિર્દી પર કેવી અસર પડી શકે તે અંગે વિચાર કરીને હું આગામી બે-ત્રેણ દિવસમાં મારો નિર્ણય લઇશ."
ઉલ્લેખનીય છે કે નરહરિ અમીન લગભગ 16 વર્ષ સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા છે. તેઓ અગાઉ ભાજપમાં હતા અને પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા. નરહરિ અમીનને ટિકીટ નહીં મળવાથી અન્ય ચૂંટણી સમીકરણો પર અસર પડી શકે છે.
ભાજપના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ભાજપના બીજા તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
