કોંગ્રેસ અગ્રણી નરહરિ અમીન ભાજપમાં જોડાઇ શકે
પ્રાપ્ત માહિતી અનુસાર નરહરિ અમીન પાછલી વખતે માતર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા. પણ તેઓ જીતી શક્યા ન હતા. પ્રદેશ કોંગ્રેસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા નરહરિ અમીનને આશા હતી કે આ વખતની ચૂંટણીમાં તેમને પટેલ આગેવાન તરીકે ટિકીટ ફાળવવામાં આવશે. બંને તબક્કાના ઉમેદવારોના નામ જાહેર થઇ જતા હવે નરહરિ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપમાં જોડાવા અંગે વિચાર કરી રહ્યા છે.
સૂત્રો જણાવે છે કે નરહરિ અમીન ભાજપમાં જોડાશે અને ચર્ચા મુજબ સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વર્તમાનમાં ભાજપે સાબરમતી બેઠક પર અરવિંદ પટેલને ટિકીટ આપી છે. આ અંગે નરહરિ અમીને જણાવ્યું કે "મેં હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. હું આગેવાનો અને મારા સમર્થકો સાથે ચર્ચા કરીશ. મારા કોઇ પણ નિર્ણયની મારી રાજકીય કારકિર્દી પર કેવી અસર પડી શકે તે અંગે વિચાર કરીને હું આગામી બે-ત્રેણ દિવસમાં મારો નિર્ણય લઇશ."
ઉલ્લેખનીય છે કે નરહરિ અમીન લગભગ 16 વર્ષ સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા છે. તેઓ અગાઉ ભાજપમાં હતા અને પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા. નરહરિ અમીનને ટિકીટ નહીં મળવાથી અન્ય ચૂંટણી સમીકરણો પર અસર પડી શકે છે.
ભાજપના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ભાજપના બીજા તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.