વાઇબ્રન્ટ ગુજરાતનો આજે બીજો દિવસ
ગાંધીનગર, 12 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાના ભલા માટે પોતાનો ઉદ્દેશ્ય જણાવ્યો. સમિટ દરમિયાન તેમણે આર્થિક મંદી પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આવા ખરાબ સમયમાં દુનિયાના લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂરિયાત છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની પાસે 7 મહિનામાં ભરવામાં આવેલા જરૂરી પગલાં જેમ કે લેબર રિફોર્મ, જન ધન યોજના, એફડીઆઇ, સ્કિલ ડેવલોપમેંટ, ડિજીટલ ઇન્ડિયા જેવી યોજનાઓથી દેશને થનાર ફાયદા વિશે પણ જાણકારી આપી. આ સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધી પર નિશાન તાક્યું અને કહ્યું કે અમે લોકો ચીજોને હાઇપ કરીએ છીએ કારણ કે તેનાથી સરકાર યોગ્ય રીતે કામ કરે છે.
તો બીજી તરફ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ અવસર પર આગામી વર્ષે 1-1.5 વર્ષમાં ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો વાયદો કર્યો. તો બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન મંગલમ બિરલાએ પણ ગુજરાતમાં 20000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. કુમાર મંગલમ બિરલાના અનુસાર ગુજરાત રોકાણ માટે સૌથી સારું રાજ્ય છે.
પરંતુ કોર્પોરેટ્સ પણ વાઇબ્રન્ટ ગુજરાત જેવા ભવ્ય આયોજનથી ખૂબ સંતુષ્ટ જોવા મળ્યા. ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજના અનુસાર આ પ્લેટફોર્મથી ગુજરાત જ નહી પરંતુ આખા દેશને ખૂબ ફાયદો પહોંચશે.