વાંકાનેર: ઉદ્યોગપતિને ખંડણીની ધમકી મળતા કલેક્ટરને આવેદનપત્ર
વાંકાનેરના સિરામિક ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલને ફોન પર કોઈ અજાણ્યા શખ્સે 20 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
ખંડણીખોરો નીડર થઇને ઉદ્યોગપતિઓને ધમકી આપતા હોવાની ઘટના સામે આવી છે. મોરબી નજીક સિરામિકનું હબ ગણાતા વાંકાનેરમાં આ ઘટના બની હતી. ઘટના એવી હતી કે, વાંકાનેરના સિરામિક ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલને ફોન પર કોઈ અજાણ્યા શખ્સે 20 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ ઘટના સંદર્ભે વાંકાનેર સિરામિક એસો.ની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓને સાથે રાખીને સિરામિક ઉદ્યોગપતિઓએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને ઉદ્યોગપતિને 20 લાખની ખંડણી માટે ગુંડા તત્વોના સરદાર એવા ભારૂભા ગઢવી દ્વારા ખૂનની ધમકી મળી છે અને આ ઘટના બતાવે છે કે, ગુંડા તત્વો રાજ્યમાં કેટલા રીઢા બની ગયા છે. આવેદન આપવા આવેલા સમૂહે માંગ કરી હતી કે આવા તત્વોની ધરપકડ થાય અને તેમની સાથે બીજા કોણ સમાજના દુશ્મનો સંકળાયેલા છે તેની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત જો માંગણી ન સંતોષાય તો ઉદ્યોગપતિઓએ આંદોલન ઉપરાંત વાંકાનેર બંધ જેવા ગાંધી ચિધ્યા માર્ગે જવાની તથા ગાંધીનગર સુધી લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
