કુખ્યાત ભુપત આહીર સુરતમાંથી હથિયાર સાથે ઝડપાયો
કુખ્યાત આરોપી ભુપત આહીરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાંથી રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો.
કુખ્યાત આરોપી ભુપત આહીરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાંથી રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો. ભુપત આહીર છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, સુરતમાં જમીન દલાલ અપહરણ કેસનો આરોપી ભુપત આહીર સુરતના વરાછા વિસ્તારમાં લૂંટને અંજામ માટે આવ્યો છે અને તેની પાસે હથિયાર પણ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ભુપત આહીર ત્યાં આવતાની સાથે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તથા તેની પાસેથી એક રિવોલ્વર પણ કબ્જે કરી હતી.

પોલીસ દ્વારા ભુપત આહીરની પૂછપરછ કરાતાં તેણે અનેક ગુના કબુલ્યા હતા. ભુપત આહીરનું નામ અપહરણ, ખંડણી, ચોરી, મારપીટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલું છે. તે 14 લૂંટ, 2 અપહરણ સાથે ખંડણી, 2 આર્મ એક્ટના ગુના, લૂંટ સાથે ફાયરીંગ કરી હત્યા નો 1 ગુનો, લૂંટ તથા પોલીસ પર ફાયરીંગનો 1 ગુનો, કેદી જાપ્તામાંથી ફરારનો 1 ગુનો, મારામારીના 2 અને ચોરીના 3 ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.
ભુપત આહીરને રાજ્યભરની પોલીસ શોધી રહી હતી. ભુપત આહીર 12 વર્ષનો હતો ત્યારથી ગુના ખોરીમાં સંડોવાયેલો છે. તેણે સુરતના જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસે 50 લાખની ખંડણી માંગી હતી. પોલીસ સમક્ષ રિમાન્ડ દરમ્યાન ભુપત આહીરે અંજામ આપેલ અન્ય ગુનાના ખુલાસા થાય તેવી શક્યતા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ




Click it and Unblock the Notifications
