10000 NRI કરશે નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર
નવી દિલ્હી, 18 ઓક્ટોબર : સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો એનઆરઆઇ માટે ખૂબ મહત્વનો હોય છે. આ મહિનામાં તેઓ માત્ર પોતાના ફેમિલી સાથે સમય પસાર કરવાનું એક માત્ર પ્લાનિંગ કરતા હોય છે. જો કે આ વર્ષે 50 કે 500 નહીં પણ 10,000 જેટલા એનઆરઆઇએ ડિસેમ્બરનું પ્લાનિંગ કંઇક અલગ કર્યું છે.
ક્રિસમસના 10 દિવસના વેકેશનમાં ભારત આવવાનું આયોજન કરે છે. જોકે તેમના ભારત આગમાનનો ઉદ્દેશ્ય વેકેશનની રજાઓ ગાળવાનો નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કરવાનો છે. વિદેશોથી અંદાજે 10,000 એનઆરઆઇ મોદીના ચૂંટણી પ્રચારમાં માનદ સેવાઓ આપવા આવી રહ્યા છે.

એનઆરઆઈ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા, બ્રિટન અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી ઓછામાં ઓછા 10000 એનઆરઆઈ મોદીના ચૂંટણી પ્રચારમાં જુદી જુદી સેવાઓનું યોગદાન આપશે. મોદીના ચૂંટણી પ્રચારમાં મદદ કરવા આવી રહેલા એનઆરઆઈએ દિવાળી અને અન્ય રજાઓ હાલ પૂરતી ટાળી છે. એનઆરઆઈમાંના કેટલાંક તેમના વતન તેમજ શહેરમાં જઈને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર માટે પ્રચાર કરશે. તો કેટલાક લોકો મોદીની ટીમમાં સામેલ થઈને કામ કરશે.
આવતા વર્ષે એટલે 2014માં યોજાનારી ચૂંટણીમાં પાંચ હજાર ભારતીય અમેરિકન ભારત આવશે. એનઆરઆઇ એસોસિએશનના વડાઓનું કહેવું છે કે અમારી યુવા ટીમ અમેરિકામાં લાખો ભારતીયોને તેમનો વોટ રજિસ્ટર કરવા માટે જાગ્રત કરી રહી છે. જેથી ચૂંટણી સામે તેઓ ભારતમાં રહી તેમનો વોટ આપી શકે.
બ્રિટનથી અંદાજે 3500 એનઆરઆઈ ચૂંટણી સમયે ભારત આવવાનું આયોજન કરી રહ્યા છે. મોટાભાગ એનઆરઆઇ ડિસેમ્બરમાં દર વર્ષે ભારત આવે છે, પરંતુ આ વર્ષે ટાળ્યું છે કારણ કે ચૂંટણી સમયે અમારા સમય અને રજાનો ઉપયોગ અમે મોદીના પ્રચાર માટે કરી શકાય. મોદીના પ્રચારમાં જોડાનારા આ એનઆરઆઈની પ્રચારમાં ભાગીદારીને વિશ્લેષકો જુદી રીતે જોઇ રહ્યા છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
