રાષ્ટ્રપતિ પાસે હજી પણ 16 દોષિતોની દયાઅરજી પેન્ડિંગ!
રાષ્ટ્રપતિના કાર્યાલય અનુસાર હાલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે કુલ 16 લોકોની ફાંસી અંગેની દયાઅરજીઓ પેન્ડિંગ છે. આ 16 અરજીઓ પર હજી નિર્ણય લેવાનો બાકી છે. જે 16 ગુનેગારોએ ફાંસીની સજામાંથી દયા કરીને મુક્તિ કે રાહત મેળવવા માટે અરજી કરી છે તેમાં 13 ડિસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ ભવન પર હુમલો કરવા બદલ દોષિત ઠરેલા અને ફાંસીની સજા મેળવનારા મોહમ્મદ અફઝલ ગુરૂની અરજીનો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે જે 16 દોષિતોની દયાઅરજીઓ પેન્ડિંગ છે તેમની વિગતો આ મુજબ છે...
મોહમ્મદ
અફઝલ
ગુરૂ
:
ભારતીય
સંસદ
પર
હુમલો
કરવાના
ગુનાહમાં
મોહમ્મદ
અફઝલ
ગુરૂ
દોષિત
છે.
આ
હુમલામાં
9
લોકો
માર્યા
ગયા
હતા
અને
16
લોકો
ઘાયલ
થયા
હતા.
સુપ્રીમ
કોર્ટે
તેના
કેસમાં
4
ઑગસ્ટ,
2005ના
રોજ
ફાંસીની
સજા
ફરમાવી
હતી.
ગયા
વર્ષે
ઑગસ્ટમાં
કેન્દ્રીય
ગૃહ
મંત્રાલયે
દયાની
અરજી
ફગાવતા
તેણે
રાષ્ટ્રપતિને
અરજી
મોકલી
આપી
હતી.
ધર્મપાલ
:
રાષ્ટ્રપતિ
પાસે
હાલમાં
જેટલી
દયાઅરજીઓ
છે
તેમાં
ધર્મપાલની
અરજી
સૌથી
જૂની
છે.
બળાત્કારના
એક
કેસમાં
જ્યારે
તેઓ
જેલમાંથી
બહાર
આવ્યા
ત્યારે
તેમણે
એક
જ
પરિવારના
પાંચ
સભ્યોને
મોતને
ઘાટ
ઉતાર્યા
હતા.
સોનિયા
અને
રાજીવ
:
સંપત્તિ
માટે
સોનિયા
અને
રાજીવે
પોતાના
જ
પરિવારના
8
સભ્યોની
હત્યા
કરી
હતી.
સુપ્રીમ
કોર્ટે
વર્ષ
2007માં
બંનેની
ફાંસીની
સજાને
મંજૂર
રાખી
હતી.
આ
વર્ષે
ગૃહ
મંત્રાલયે
તેમની
દયાની
અરજીને
ફગાવી
દીધી
હતી.
ગુરમીત
સિંહ
:
પોતાના
પરિવારના
જ
13
લોકોની
હત્યા
કરવાના
ગુનાહમાં
દોષિત
ગુરમીત
સિંહને
વર્ષ
2005માં
સુપ્રીમ
કોર્ટે
ફાંસીની
સજા
ફરમાવી
હતી.
વર્ષ
2009માં
ગૃહ
મંત્રાલયે
તેમની
દયાઅરજીને
નકારી
હતી.
સાઇમન,
ગણાપ્રકાશ,
મદાએ
અને
બિલવાંદ્ર
:
આ
ચાર
લોકો
ખાણમાં
વિસ્ફોટ
કરીને
કર્ણાટકના
22
પોલીસ
કર્મીઓની
હત્યા
કરી
હોવાના
ગુનામાં
દોષિત
છે.
વર્ષ
2004માં
સુપ્રીમ
કોર્ટે
તેમને
ફાંસીની
સજા
ફરમાવી
હતી.
કેન્દ્રીય
ગૃહ
મંત્રાલયે
તેમની
દયાઅરજીને
ગયા
મે
2011માં
રાષ્ટ્રપતિને
મોકલી
આપી
હતી.
સુરેશ
અને
રામજી
:
સંપત્તિના
મુદ્દે
પોતાના
જ
પરિવારના
પાંચ
સભ્યોની
હત્યા
કરવા
માટે
વર્ષ
2001માં
બંનેને
દોષિત
ઠેરવવામાં
આવ્યા
હતા.
ફેબ્રુઆરી
2011માં
ગૃહ
મંત્રાલયે
તેમની
અરજી
રાષ્ટ્રપતિને
મોકલી
આપી
હતી.
પ્રવીણ
કુમાર
:
એક
જ
પરિવારના
ચાર
સભ્યોની
હત્યા
કરવા
માટે
સુપ્રીમ
કોર્ટે
વર્ષ
2003માં
પ્રવીણ
કુમારને
ગુનેગાર
ઠેરવ્યા
હતા.
પાછલા
વર્ષે
ગૃહ
મંત્રાલયે
તેમની
દયાઅરજી
નકારીને
રાષ્ટ્રપતિ
પાસે
મોકલી
આપી
હતી.
સાઇબન્ના
નિંગપ્પા
નાટિકર
:
તેણે
પોતાની
પત્ની
અને
દીકરીની
હત્યા
કરી
હતી.
વર્ષ
2004માં
સુપ્રીમ
કોર્ટે
તેને
દોષિત
ઠેરવ્યો
હતો.
ત્યાર
બાદ
સપ્ટેમ્બર
2011માં
તેમણે
રાષ્ટ્રપતિને
દયા
અરજી
મોકલી
હતી.
ઝાફર
અલી
:
તેણે
પોતાની
પત્ની
ઉપરાંત
પાંચ
દીકરીઓની
હત્યા
કરી
હતી.
વર્ષ
2004માં
તેને
દોષિત
જાહેર
કરવામાં
આવ્યો
હતો.
ત્યાર
બાદ
નવેમ્બર
2011માં
રાષ્ટ્રપતિને
દયાઅરજી
મોકલી
હતી.
સુંદર
સિંહ
:
વર્ષ
2010માં
પોતાના
ભાઇના
પરિવારના
પાંચ
સભ્યોની
હત્યા
કરવા
માટે
દોષિત
ઠરેલા
સુંદરની
દયા
અરજી
આ
ફેબ્રુઆરી
2012માં
ગૃહ
મંત્રાલયે
નકારીને
રાષ્ટ્રપતિને
મોકલી
આપી
હતી.
અતબીર
:
તેણે
પોતાની
સાવકી
માતા,
ભાઇ
અને
બહેનની
હત્યા
કરી
હતી.
છેલ્લા
પાંચ
મહિનાથી
તેની
દયા
અરજી
રાષ્ટ્રપતિ
પાસે
પેન્ડિંગ
છે.