90 પાકિસ્તાની ઘૂસણખોરોની ભારતમાં Entry : ગૃહ મંત્રાલય
આ આંકડા જાસૂસી એજન્સીઓના રિપોર્ટ આધારિત છે. પાકિસ્તાનને અડીને આવેલી ભારતીય સીમાએથી 2011માં 63 ઘૂસણખોરો આવ્યાં હતા. પરંતુ આ વર્ષે 20 નવેમ્બર સુધી આ આંકડો 90 સુધી પહોંચી ગયો છે. ગૃહ મંત્રાલયને ખતરાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા એજન્સીઓને બોર્ડર પર જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.
ભારતમાં 2010માં 94 પાકિસ્તાની ઘૂસણખોરોએ પ્રવેશ કર્યો હતો. 2009માં આ સંખ્યા 69 હતી. 2011માં સાત ભારતીયો, 13 બાંગ્લાદેશીઓ અને બે અન્ય નાગરિકોએ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો છે. આ બધા ભારત-પાકિસ્તાન બોર્ડરથી આવ્યા હતા. 2010માં ઘૂસણખોરી કરનાર ચાર ભારતીય અને 19 બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે.
રસપ્રદ વાત એ છે કે 2011માં ભારત-નેપાળ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતાં પાંચ ચીની નાગરિકો અને બે કોરયાઇ નાગરિકોએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. 2010 અને 2009માં બે સોમાલિયાઇ અને એક પાકિસ્તાની નાગરિકે ભારત-નેપાળ સીમાએથી ઘૂસણખોરી કરી હતી.