For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરૂષિ હત્યાકાંડ : સુપ્રીમ કોર્ટે નૂપુર તલવારના જામીન મંજૂર કર્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nupur talwar
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરૂષિ-હેમરાજ હત્યાકાંડ કેસનો સુપ્રિમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. આ કેસના મુખ્ય આરોપી ડૉ. રાજેશ તલવારની પત્ની નૂપુર તલવારને જામીન મળી ગયા છે.

આ અગાઉ બંને સુનાવણીમાં કોર્ટે નૂપુર તલવારની જામીન અરજી પર સીબીઆઇને નોટીસ ફટકારી હતી. નીચલી કોર્ટ દ્રારા નૂપુરની અરજીને નકારી કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ ગાઝિયાબાદની કોર્ટમાં સમર્પણ કર્યા બાદ નૂપુર જેલમાં છે. 17 મે 2008ના રોજની રાત્રે 14 વર્ષીય આરૂષિની લાશ નોઇડામાં તલવારના ઘરમાં મળી આવી હતી. તે જ ઘરની અગાશી પરથી નોકર હેમરાજની લાશ પણ મળી હતી.

આ કેસમાં આરૂષિના માતા-પિતા પર પોતાની છોકરીની હત્યાનો કેસ ચાલી રહ્યો છે. સીબીઆઇએ પોતાના રિપોર્ટમાં નૂપુર તલવારને આરોપી ગણ્યા છે અને તેમના પર પુરાવા નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

English summary
One of the main accused of Aarushi Talwar murder case, Nupur Talwar finally got bail from the Supreme Court on Monday, Sep 17. However, Mrs Talwar can not come out from Dasna jail in Ghaziabad and the Supreme Court asked her to stay inside the prison for the next one week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X