કર્ણાટકમાં ભાજપાની રેલીમાં ભાગ નહીં લે આડવાણી અને મોદી!
બેંગલોર, 7 એપ્રિલ: કર્ણાટકમાં ચૂંટણીના પગલે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રેલીમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી નહીં આપેવા સમાચાર મળી રહ્યા છે. જોકે ભાજપાએ આ અંગે કોઇ કારણ જણાવ્યું નથી કે બંને નેતા પાર્ટીની આ રેલીમાં શા માટે હાજરી નહી આપે.
કર્ણાટક બીજેપીના નેતા અત્યાર સુધી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા કે રેલીમાં આડવાણી અને નરેન્દ્ર મોદી હાજરી આપશે, પરંતુ પાર્ટીના મહાસચિવ અને બેંગલુરુ દક્ષિણ લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ એચ.એન. અનંત કુમારે શુક્રવારે નવી દિલ્હીમાં રેલીને સંબોધીત કરનારા જે નેતાઓની સૂચિ જારી કરી હતી તેમાં, લાલકૃષ્ણ આડવાણી અને મોદીના નામ બાકાત રખાયા છે.

પક્ષની પહેલી સંસદીય બેઠકમાં મોદીની ગેરહાજરી અને પછી કર્ણાટકમાં રેલીને સંબોધિત કરનારાઓમાં તેમનું નામ નહીં હોવાથી એવી રાજનૈતિક અટકળોને બળ મળી રહ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપો, અસંતુષ્ટો તથા ઘણા મહત્વના નેતાઓનું પાર્ટી છોડવું તથા પાર્ટીની રાજ્યમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદી સીધીરીતે કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં જોડાવવા નથી માંગતા.
આ પ્રકારની અફવાઓને વધુ બળ મળ્યું જ્યારે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જણાવ્યું કે મોદી કર્ણાટકના પાંચ જિલ્લાઓમાં ચૂંટણી જનસભાઓનું સંબોધન કરશે, જ્યારે રાજ્યમાં 30 જિલ્લા છે. જોકે જગદીશ શેટ્ટારે એ પાંચ જિલ્લાઓના નામ જાહેર કર્યા નહીં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
