For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આધાર નંબર નહીં હોય તો બંધ થઇ જશે તમારો મોબાઇલ ફોન

જો તમારી પાસે આધાર નંબર નથી તો તમારો ફોન બંધ થઇ જશે. સરકારે આપ્યા ટેલીકોમ કંપનીઓને આદેશ.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ને લઇને ખુબ જ સજાગ થઇ છે. એક પછી એક યોજનાઓને આધાર નંબરને જોડી રહી છે. બેંક એકાઉન્ટથી લઇને રાશન કાર્ડ અને ઇનકમ ટેક્સથી લઇને પેન કાર્ડ સુધી તમામ નંબરોને આધાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય જલ્દી જ આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે પણ જોડવામાં આવશે. અને જો તમારો ફોન આધાર નંબર સાથે જોડાયેલો નહીં હોય તો તમારો ફોન બંધ કરી દેવામાં આવશે. જલ્દી જ આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે જોડવામાં આવશે.

ahdhar no

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા આ અંગે ટેલિફોન કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે. અને પોતાના તમામ સબસ્ક્રાઇબરોને આધાર સાથે મોબાઇલ નંબર જોડવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ જે લોકો નવો નંબર કે સીમ લેવા જઇ રહ્યા હોય તેમને પણ પોતાના આધાર નંબર આપવો ફરજિયાત બની જશે. ટેલિકોમ વિભાગ મુજબ ટેલિકોમ ઓપરેટર્સે આ કામ 6 ફેબ્રુઆરી 2018 પહેલા પૂર્ણ કરવાનું રહેશે. અને આ અંકે ગ્રાહકોને વેરિફિકેશન પણ કરાવવું પડશે. આ યોજના તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકોને લાગુ પડે છે. જો કે આવનારા સમયમાં જાહેરાત દ્વારા તમામ કંપનીઓને આ અંગે પોતાના ગ્રાહકોને જાણકારી આપશે. જે મુજબ ટેલીફોન કંપનીઓ તેમના ગ્રાહકોને તેમના નંબર પર વેરીફિકેશન કોર્ડ મોકલશે. અને આધાર કાર્ડ સાથે તેમના મોબાઈક ફોનને જોડશે.

English summary
The Department of Telecom has sent a notice to telecom operators that all mobile phone subscribers will have to be verified using e-KYC through the 10-digit unique ID.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X