પવાર, શિંદે જેવા 'બેસૂરાઓ'થી છુટકારો મેળવવો જરૂરી: બાલ ઠાકરે

દેશમાં સરકારની હાલની સ્થિતિ પર પ્રહાર કરતાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે આજે બાંગ્લાદેશે આસામના મોટા ભાગને કબજે કરી લીધો છે પરંતુ આ તરફ સરકારનું કોઇ ધ્યાન નથી. તેમને કૃષિ મંત્રી શરદ પવાર અને ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેને બેસૂરાની સંજ્ઞા આપી હતી. બાલ ઠાકરી એમ પણ કહ્યું હતું કે 'તેમની ઇચ્છા છે કે દેશને આવા ભૂત-પ્રેતોથી છુટકારો મળવો જોઇએ. બાલ ઠાકરેએ આ રેલીમાં પોતાના પુત્ર અને પૌત્ર માટે સમર્થન માંગ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે પાંચની ટુકડી (સોનિયા, રાહુલ, પ્રિયંકા, રોબર્ટ વાઢેરા અને અહેમદ પટેલ) ખતમ થવી જોઇએ. તેમને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે સમર્થન માંગ્યું હતું.












Click it and Unblock the Notifications
