For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવાર, શિંદે જેવા 'બેસૂરાઓ'થી છુટકારો મેળવવો જરૂરી: બાલ ઠાકરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bal-thackeray
મુંબઇ, 25 ઑક્ટોબર: શિવસેના પ્રમુખ બાલ ઠાકરે વાર્ષિક દશેરા રેલીમાં ભાગ લઇ શક્યા નથી પરંતુ પોતાના પુત્ર અને પૌત્ર માટે સર્મથન માંગ્યું છે. એક રિકોર્ડ સંદેશમાં તેમને કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાંધ્યું હતું. રેલીમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને આપેલા સંદેશામાં બાલ ઠાકરેએ શરદ પવાર, સુશિલ કુમાર શિંદે અને અન્ય નેતાઓ નિશાન બનાવ્યાં હતા. બિમારીના કારણે તે આ રેલીમાં ભાગ લઇ શક્યા નથી. શિવાજી પાર્કમાં આયોજિત આ રેલીમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી.

દેશમાં સરકારની હાલની સ્થિતિ પર પ્રહાર કરતાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે આજે બાંગ્લાદેશે આસામના મોટા ભાગને કબજે કરી લીધો છે પરંતુ આ તરફ સરકારનું કોઇ ધ્યાન નથી. તેમને કૃષિ મંત્રી શરદ પવાર અને ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેને બેસૂરાની સંજ્ઞા આપી હતી. બાલ ઠાકરી એમ પણ કહ્યું હતું કે 'તેમની ઇચ્છા છે કે દેશને આવા ભૂત-પ્રેતોથી છુટકારો મળવો જોઇએ. બાલ ઠાકરેએ આ રેલીમાં પોતાના પુત્ર અને પૌત્ર માટે સમર્થન માંગ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે પાંચની ટુકડી (સોનિયા, રાહુલ, પ્રિયંકા, રોબર્ટ વાઢેરા અને અહેમદ પટેલ) ખતમ થવી જોઇએ. તેમને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે સમર્થન માંગ્યું હતું.

English summary
Ailing Shiv Sena supremo Bal Thackeray did not attend his party's annual Dussehra rally yesterday but sought support for his son and grandson as he launched a broadside against Congress and the Gandhi family through a recorded message.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X