ઉદ્ધવ ઠાકરેનું શરમજનક નિવેદન: કિન્નર સાથે રક્ષા મંત્રી એકે એંટનીની કરી તુલના
મુંબઇ, 28 ફેબ્રુઆરી: દેશના વિકાસની માર્ગે લાવવાનો દાવો કરનાર નેતા જે પ્રકારે શબ્દપ્રયોગની તમામ હદો પાર કરી રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે લોકસભાની ચૂંટણી એકદમ નજીક છે. તાજેતરમાં જ સલમાન ખુર્શીદના નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપેલા 'નપુંસક'વાળા નિવેદનનો મુદ્દો શાંત પડ્યો નથી કે શિવસેનાએ રક્ષા મંત્રી એકે એંટની વિરૂદ્ધ એકદમ હલકીકક્ષાનું, શરમજનક અને વાંધાજનક નિવેદન આપ્યું છે. આઇએનએસ સિંધુરત્ન સબમરીન અકસ્માતને લઇને ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના મુખપત્ર સામનામાં એક એંટની પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સામનાના એડિટોરિયલમાં લખ્યું છે કે ભારતના રક્ષા વિભાગને ઉધઇ લાગી ગઇ છે.
સમુદ્રમાં સબમરીન આગમાં ખાખ થઇ છે કે પછી ડૂબી રહી છે. વાયુસેના વિભાગના લડાકૂ મિગ વિમાન ધારાશય થઇ રહ્યાં છે. બોર્ડર પર સૈનિકોના માથા કાપીને પાકિસ્તાન લઇ જાય છે. તેમછતાં દેશના રક્ષામંત્રી અને તેમના લોકો હિજડાની માફક બેસ્યાં છે. સામનામાં લખવામાં આવ્યું છે કે ગત કેટલાક મહિનાથી નૌસેનાને અકસ્માતનું ગ્રહણ લાગી રહ્યું છે. જેના લીધે આ વિભાગને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે. ભારતીય આર્મીની આ પ્રકારની દુર્દશાને જોતાં પડોશી દુશ્મન રાષ્ટ્ર અટ્ટાહાસ્ય કરી રહ્યું છે કારણ કે કોઇપણ પ્રકારે યુદ્ધ વિના ભારતીય સેના નષ્ટ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં સિંધુરત્ન સબમરીનમાં એક ગેસ લિકેજ થયો હતો જેમાં 7 નૌસેનાના અધિકારી બેભાન થઇ ગયા અને બે અધિકારીઓના મોત નિપજ્યા છે. આ અકસ્માતની નૈતિક જવાબદારી લેતાં નૌસેના પ્રમુખ ડીકે જોશીએ તાત્કાલિક રાજીનામું આપી દિધું. નિષ્ક્રિય રક્ષા મંત્રીએ તેને સ્વિકારી પણ લીધું. અત્રે ઉલ્લેખનીય છે કે એડમિરલ જોશીના કાર્યકાળ દરમિયાન નૌસેનામાં સૌથી વધુ અકસ્માત થયા. એકે એંટની પર હુમલા ચાલુ રાખતાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું કે 'ભારતના રક્ષા વિભાગે બંદૂક તથા તોપગોળાનું ઉત્પાદન બંધ કરવા લાગે છે કે હવે ફેવિકોલનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે. કારણ કે આટલા બધુ થયા બાદ પણ રક્ષા મંત્રી ખુરશી સાથે મજબૂત રીતે ચોંટેલા છે. આ કોનો કમાલ છે!
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
