ગણેશ વિસર્જનના દિવસે તમામ દુકાનો બંધ રહેશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે.
પૂણે : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે. જો કે, આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવશે. કોરોના મહામારીને જોતા મહારાષ્ટ્ર સરકારે ગણેશ વિસર્જન પર આ નિર્ણય લીધો છે. કોરોનાની ત્રીજી લહેરને જોતા તબીબોએ તહેવારોની સિઝનમાં ભીડ ન વધારવા કહ્યું છે. આથી રાજ્ય સરકારે સાવચેતી રાખીને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, રેસ્ટોરા અને હોટલ ખુલ્લા રહેશે. લોકડાઉન પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક રહેશે. 10 દિવસનો ગણેશ ચતુર્થીનો તહેવાર, જેમાં સામાન્ય રીતે લાખો લોકો શહેરના રસ્તાઓ પર ઉમટી પડે છે.
કોરોના મહામારીની ત્રીજી લહેરને જોતા મહારાષ્ટ્રમાં ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. સમુદાયના પંડાલોમાં ભક્તોનો ધસારો ઘટાડવા માટે ઘણા મંડળોએ તેમના અધિકારીઓ દ્વારા તેમની મૂર્તિઓના ઓનલાઈન 'દર્શન' અથવા ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી છે. સરકારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે લોકોને અપીલ કરી છે.
આ અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકોનું સ્વાસ્થ્ય કોઈપણ તહેવાર કરતાં વધુ મહત્વનું છે અને નાગરિકોને કોરોનાવાયરસના તમામ નિયમોનું પાલન કરવા કહ્યું હતું. મુંબઈમાં પોલીસે CrPC ની કલમ 144 હેઠળ 10 થી 19 સપ્ટેમ્બર વચ્ચે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
આ સમય દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં અને ભક્તોને ગણેશ પંડાલોમાં પણ જવા દેવામાં આવશે નહીં, જ્યારે ગૃહ વિભાગે પંડાલોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે, ભગવાન ગણેશની મૂર્તિઓની ઉંચાઈ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
