અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો એક દુર્ધટના હતી?
અમરનાથ યાત્રા એક દુર્ધટના હતી આતંકી હુમલો નહીં. આવું કહેવું છે કે કાશ્મીરી સ્થાનિક સમાચાર એજન્સીઓનું. જાણો આ અંગે વિગતવાર અહીં.
સોમવારના દિવસે અમરનાથ યાત્રીઓ પર આતંકીઓએ હુમલો કર્યો જેમાં 7 ગુજરાતી લોકોની મોત થઇ. આ વાતથી જ્યાં ગુજરાતભરમાં શોકનું વાતાવરણ ઊભું થયું છે ત્યાં જ જમ્મુ કાશ્મીરના સ્થાનિક છાપાઓ અને લોકલ ચેનલ આ અંગે બીજું જ કંઇક કહી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અખબરોમાં છપાઇ રહ્યું છે કે યાત્રીઓ ભરેલી બસ ત્યાં ખોટા સમય ત્યાં પહોંચી હતી. જે સમયે આંતકી અને જમ્મુ કાશ્મીર પોલીસ વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી હતી તે વચ્ચે બસ આવી જતાં તે આ આંતકી હુમલાનો શિકાર બની.

કાશ્મીરી મીડિયામાં જે ખબર છપાઇ છે તે મુજબ અનંતનાગથી બટંગૂ રસ્તામાં આતંકીઓએ ખાનાબલ પોલીસ ચોકી પર હુમલો કર્યો જેનું જવાબી ફાયરિંગ થઇ રહ્યું હતું તે દરમિયાન આંતકીઓ ત્યાંથી ભાગવા ગયા. આ ફાયરિંગ વખતે એનએચ-1 એ પર શ્રીનગર તરફથી એક બસ જમ્મુ આવી રહી હતી અને તે વચ્ચે આવી જતાં આતંકીઓનો નિશાનો બની ગઇ.
ઉલ્લેખનીય છે કે જ્યારથી અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો છે ત્યારથી તેની પર વિવાદો શમવાનું નામ નથી લેતા. એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યા છે. કોઇ આ ઘટનાને આતંકી હુમલો કહે છે તો કોઇ એક સંજોગવશ થયેલી દુર્ધટના. એટલું જ નહીં આ બસના ડ્રાઇવરને લઇને પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે કે આ બસ સલીમ ચલાવી રહ્યા હતા કે હર્ષ નામનો ટૂર ટ્રાવેલર. વધુમાં તે પણ સવાલો થઇ રહ્યા છે કે સાડા સાત પછી હાઇ વે બંધ કરી દેવામાં આવે છે ત્યારે આ બસ કેવી રીતે આ સમય પછી ત્યાં આવી ગઇ. આવા અનેક સવાલો પર મીડિયામાં અનેક રીતના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પણ પ્રશાસન તરફ કોઇ અધિકૃત સ્પષ્ટતા હજી સુધી આ અંગે પ્રાપ્ત નથી થઇ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
