કેજરીવાલને સત્તાની લાલસા? હોઇ શકેઃ અણ્ણા હઝારે

anna hazare
નવીદિલ્હી, 1 નવેંબરઃ એક તરફ અરવિંદ કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલીને સમાચારમાં છે તો બીજી તરફ ગાંધીવાદી કાર્યકર્તા અણ્ણા હઝારેએ કહ્યું છે કે સામાજિક કાર્યકર્તામાંથી રાજકરાણી બનેલા અરવિંદ કેજરીવાલને પૈસાની લાલચ નથી પરંતુ તેનામાં સત્તાની લાલસા કદાચ જાગી છે. નોંધનીય છે કે કેજરીવાલે રાજકીય પક્ષ રચવાની જાહેરાત કર્યા પછી બન્નેના રસ્તા અલગ થઇ ગયા હતા.

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં અણ્ણાએ પોતાના પૂર્વ સાથીને શુભેચ્છા પાઠવી હતી અને પછી કહ્યું હતું કે તેણે ઘણી બાબતોનો ત્યાગ કર્યો છે તે પોતાના પરિવાર કરતા વધારે દેશનું વિચારે છે. જો કેજરીવાલને સત્તાની લાલસા છે, તેનો 75 વર્ષીય અણ્ણા હજારેનો જવાબ ભાવદર્શક હતો.

અણ્ણાએ કહ્યું છે, '' તેનામાં ત્યાગની ભાવના છે, તે ઘર અંગે એટલું ક્યારેય વિચારતા નથી જેટલું તે સમાજ અને દેશ અંગે વિચારે છે, અને સ્વાર્થ, તેને પૈસાનો સ્વાર્થ નથી, પરંતુ હવે રાજનીતિમાં ગયા પછી તેને બીજો સ્વાર્થ છે, મતલબ કે તે પોતે મંત્રી નહીં બને.'' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેજરીવાલને સત્તાની લાલસા છે તો અણ્ણાએ કહ્યું, '' એવું હોઇ શકે છે પરંતુ બાકી તેને કોઇ સ્વાર્થ નથી.''

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X