For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને સત્તાની લાલસા? હોઇ શકેઃ અણ્ણા હઝારે

By Super
|
Google Oneindia Gujarati News

anna hazare
નવીદિલ્હી, 1 નવેંબરઃ એક તરફ અરવિંદ કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલીને સમાચારમાં છે તો બીજી તરફ ગાંધીવાદી કાર્યકર્તા અણ્ણા હઝારેએ કહ્યું છે કે સામાજિક કાર્યકર્તામાંથી રાજકરાણી બનેલા અરવિંદ કેજરીવાલને પૈસાની લાલચ નથી પરંતુ તેનામાં સત્તાની લાલસા કદાચ જાગી છે. નોંધનીય છે કે કેજરીવાલે રાજકીય પક્ષ રચવાની જાહેરાત કર્યા પછી બન્નેના રસ્તા અલગ થઇ ગયા હતા.

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં અણ્ણાએ પોતાના પૂર્વ સાથીને શુભેચ્છા પાઠવી હતી અને પછી કહ્યું હતું કે તેણે ઘણી બાબતોનો ત્યાગ કર્યો છે તે પોતાના પરિવાર કરતા વધારે દેશનું વિચારે છે. જો કેજરીવાલને સત્તાની લાલસા છે, તેનો 75 વર્ષીય અણ્ણા હજારેનો જવાબ ભાવદર્શક હતો.

અણ્ણાએ કહ્યું છે, '' તેનામાં ત્યાગની ભાવના છે, તે ઘર અંગે એટલું ક્યારેય વિચારતા નથી જેટલું તે સમાજ અને દેશ અંગે વિચારે છે, અને સ્વાર્થ, તેને પૈસાનો સ્વાર્થ નથી, પરંતુ હવે રાજનીતિમાં ગયા પછી તેને બીજો સ્વાર્થ છે, મતલબ કે તે પોતે મંત્રી નહીં બને.'' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેજરીવાલને સત્તાની લાલસા છે તો અણ્ણાએ કહ્યું, '' એવું હોઇ શકે છે પરંતુ બાકી તેને કોઇ સ્વાર્થ નથી.''

English summary
Anna Hazare has said that while the activist turned politician does not have greed for money, he may have greed for power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X