દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ પાસ ના થયું, કેજરીવાલનું રાજીનામું
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. અરવિંદ કેજરીવાલે પોતાનું રાજીનામું એટલા માટે આપી દીધું છે કારણ કે આજે દિલ્હીની વિધાનસભામાં જનલોકપાલ બિલ પાસ થઇ શક્યું નહીં.
દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ વિરુધ્ધ 41 મત આવવાના કારણે જનલોકપાલ બિલ પાસ થઇ શક્યું નહીં અને અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીની બેઠક બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી.
અરવિંદ કેજરીવાલે પોતાના પાર્ટીના કાર્યાલયથી જાહેરમાં લોકોનું સંબોધન કરતા પોતાના રાજીનામાની કોપી બતાવીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. અને તેમણે જણાવ્યું કે હું સંવિધાન માટે મારા પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર છું. અને હજાર વખત મુખ્યમંત્રીના પદનો ત્યાગ કરવા તૈયાર છું.
સૂત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પર પ્રહારો કર્યા, તેમણે જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસે આટલા રૂપિયા ક્યાંથી આવે છે. આ ઉપરાંત તેમણે જાહેરમાં જણાવ્યું કે તેમણે વિધાનસભા તુરંત ભંગ કરવાની માંગ કરી અને દિલ્હીમાં તુરંત ચૂંટણી કરાવવાની માંગ કરી છે.

-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
