પ્રચાર પ્રસાર પૂરજોશમાં: મોદી, રાજનાથસિંહ અને સોનિયા આજે છત્તીસગઢમાં
રાયપુર, 7 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આજે છત્તીસગઢમાં અલગ-અલગ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. સોનિયા ગાંધી જ્યાં બસ્તરના કોંડાગામમાં સભાને સંબોધિત કરશે, જ્યારે નરેન્દ્ર મોદી જગદલપુર, કાંકેર અને ડોંગરગઢ તથા રાજનાથ સિંહ બિલાસપુર સંભાગમાં સભાઓ કરશે. આ ઉપરાંત લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજ તથા રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીની પણ ચૂંટણી સભાઓ થશે.
સોનિયા ગાંધીના કાર્યક્રમમાં સંશોધન કરવામાં આવ્યું છે. પૂર્વમાં તેઓ કોંડાગામની સાઝે રાજનાંદગામમાં પણ પોતાની સભા કરવાની હતી, પરંતુ હવે તે માત્ર કોંડાગામમાં જ સભા કરશે. તેઓ આજે 7 નવેમ્બરે સવારે 11.00 વાગ્યે કોંડા ગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે. પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે કોંડા ગામ સહિત ઘણા અન્ય વિસ્તારોમાં ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા આયોજિત કરવામાં આવી રહી છે. કોંડાગામ બેઠકથી ચૂંટણી લડવાની આ વખતે કોંગ્રેસે મોહન મરકામને તક આપી છે, જ્યારે ભાજપ તરફથી પ્રદેશની મહિલા અને બાળ વિકાસ મંત્રી લાતા ઉસેંડી ચૂંટણી મેદાનમાં છે.
નરેન્દ્ર મોદીની આજ ત્રણ સભાઓ થવાની છે. મોદી આજે ગુરુવારે બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર પહોંચશે, જ્યાં લાલબાગ મેદાન પર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ કાંકેર અને સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન ડોંગરગઢમાં સભાને સંબોધશે.
ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ બપોરે 12.15 વાગ્યે લોરમી, 1.40 વાગ્યે બેલતરા તથા બપોરે 3.15 કલાકે અકલતરામાં સભાઓને સંબોધિત કરશે. અરૂણ જેટલી બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે, જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે. સુષમા સ્વરાજ ગુરુવારે બપોરે 12 વાગ્યે પંડરિયા, 1.30 કલાકે તખતપુર તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.

સોનિયા ગાંધી
7 નવેમ્બર:
સવારે 11.00 વાગ્યે
કોંડાગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે

નરેન્દ્ર મોદી
7 નવેમ્બર:
બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર
બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ, કાંકેર
સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન, ડોંગરગઢ

રાજનાથ સિંહ
7 નવેમ્બર:
બપોરે 12.15 વાગ્યે લોરમી
બપોરે 1.40 વાગ્યે બેલતરા
બપોરે 3.15 કલાકે અકલતરા

અરૂણ જેટલી
7 નવેમ્બર:
બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે,
જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે.

સુષમા સ્વરાજ
7 નવેમ્બર:
બપોરે 12 વાગ્યે પંડરિયા,
1.30 કલાકે તખતપુર
તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
